હું રહું કે ના રહું
હું રહું કે ના રહું
મમતા બહેનની તબિયત એકાએક લથડતા એમને એવો ભાસ થયો કે હું રહું કે નાં રહું તો..?
એમણે એમનાં સંતાનોને ભેગા કર્યા અને એમની પાસે જે દર દાગીના અને રોકડ રકમ હતી એ સંતાનોને સરખે ભાગે વહેંચી આપી અને એક ડાયરીમાં એમની છેલ્લી ઈચ્છા લખી દીધી કે મારાં મરણ પછી કોઈ પણ પ્રકારનો બારમા તેરમુંનો જમણવારનો ખોટો ખર્ચ કરવો નહીં એનાં બદલે અનાથાશ્રમમાં દાન કરવું અને ખાલી બેસણું રાખવું જો કોઈ નાં આવે તો એની સાથે મનદુઃખ ન રાખવું...
હું રહું કે નાં રહું પણ તારાં પપ્પાનું ધ્યાન જરૂર રાખજો નહીંતર એ મનથી ભાંગી પડશે.
મમતા બહેનની વાત સંતાનોએ મંજૂર રાખી અને મમતા બહેને રાહતનો શ્વાસ લીધો.