ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ
ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ
1 min
7.4K
વિજ્ઞાનના શિક્ષક સમાચાર નિહાળી રહ્યા હતા. યુદ્ધ, લુંટમાર, હત્યા, બોંબબ્લાસ્ટ, બળાત્કાર.. આખા વિશ્વમાં માનવસર્જિત માનવસંહાર! એ નિહાળી એમના વૈજ્ઞાનિક મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો : ડાર્વિને આપેલ પુરાવાઓને આધારે પ્રાણી માંથી આપણે માનવી થયા. પણ આજે જે પુરાવાઓ દેખાઈ રહ્યા છે એ ઉત્ક્રાંતિવાદ 'રિવર્સ' થવાના સંકેત તો નથી? માનવી માંથી આપણે ફરી પ્રાણી તો નથી બની રહ્યા?