અપાર શિખામણ
અપાર શિખામણ
આપણાં સમાજમાં એવાં લોકોનો એક વર્ગ છે જે વણમાંગી અને વણજોઈતી સલાહ, શિખામણનો શીરો પીરસ્યા જ કરે એવું વિચારવાની તસ્દી પણ નાં લે કે આપણે જે સલાહ આપીએ છે એ વિશે સાચું જ્ઞાન ( જાણકારી ) કેટલી છે ?
પણ જાણે એ જ મહાન જ્ઞાની હોય એવી અદાથી સલાહ, સૂચનો આપ્યા જ કરે એવાં લોકો ભૂલી જાય છે કે વગર માંગે સલાસ, શિખામણ અપાય નહીં અને પૂછ્યાં વગર કોઈને સલાહ, સૂચન દેવાય નહીં.
આમ જુઓ તો સલાહ લેવાની ચીજ છે એ દેવાની ચીજ નથી કે જ્યાં અને જ્યારે ને ત્યારે બસ સલાહકાર બની જવું.
સલાહ આપવી હોય પણ એ તો જુઓ કે સામે સલાહ માંગનાર કોઈ છે કે નહીં એનો વિચાર તો કરવો જોઈએ.
આ તો જ્યાં ને ત્યાં ને જ્યારે જુઓ બસ સલાહ આપવા જ બેસી જાય જાણે દુનિયા આખીને સુધારવાનો ઈજારો એમનો જ હોય જાણે.
વગર માંગે અને વારંવાર સલાહ આપનાર વ્યક્તિ સામેવાળાનો સ્નેહ ગુમાવી બેસે છે અને પછી એ વ્યક્તિ તમારી સાથે ભાવના વિહોણું વર્તન કરે છે..
કોઈ સલાહ માંગે અને આપો તો ગોળના શીરા જેવી મીઠી લાગે પણ વણજોઈતી સલાહ તો નેતરની સોટીની જેમ સોળ પાડી દે..
સલાહકાર એ જ બની શકે જે તે વસ્તુની સમગ્રપણે જાણકારી હોય અને જ્ઞાની હોય..
બાકી અધૂરો ઘડો ઝાઝું છલકાય એ કહેવત છે એ યથાર્થ છે.
આપણાં પૂર્વજોએ એમનમ તો કહેવતો નહીં જ પાડી હોય ?
માટે કોઈને ગમે ત્યારે સલાહ આપવી નહીં.
