અહિંસા
અહિંસા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
અહિંસાનાં માર્ગે ચાલવા મનોબળ મજબૂત જોઈએ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અટલ જોઈએ... સામાન્ય રીતે અહિંસાનો અર્થ કોઈને મારવા નહીં એવો કરવામાં આવે છે પણ અહિંસા એટલે જેમ કોઈનો જીવ લેવો એ હિંસા છે એવી રીતે કોઈનાં દિલને દુભાવવું પણ હિંસા જ છે. બીજાનાં દેહને જેમ પીડા નથી આપવાની એમજ અન્યના દિલને ઠેસ નથી પહોચાડવાની એ જ સાચી અહિંસા છે... પ્રાણીમાત્રને અને મન, કર્મ, વચનથી કોઈ નું દિલ ભૂલથી પણ નાં દુભાઈ જાય એ તકેદારી એટલે જ સાચી અહિંસા ધર્મ છે.
ધાર્મિક હોવું એટલે અંતરથી નાદ કરીને ઈશ્વર ને મહેસૂસ કરવાં... સહજ ભાવથી ઈશ્વર માં તલ્લીન રહેવું એટલે ધાર્મિક.
આત્માથી ઈશ્વરની નિકટમાં રહેવું તે જ ધાર્મિક... દુનિયાની ભીડમાં તો ભલે આપણે સંસારી બનીને જીવીએ પણ ધર્મનાં જગતમાં તો મનથી અખંડ બનીને જ સમગ્રતાથી કદમ ભરવાં પડે... આ દુનિયાની ભીડમાં રહીને પણ ઈશ્વરને આત્મમાં અહર્નિશ રટણથી સ્મરણ કરવું એટલે ધાર્મિક.
આધ્યાત્મિક ઉન્નતિ માટે મનમાં રહેલો કામ, ક્રોધ, લોભ, માયા બધું જ ત્યજીને નિર્મળ થવું અને આત્માથી ઈશ્વરની સમીપ રહેવું.
ઈશ્વરની ઉપાસના કરીને જિંદગીમાં છવાયેલો અજ્ઞાનનો અંધકાર ઓગાળીને જ્ઞાન નો પ્રકાશ ફેલાવવો એટલે આધ્યાત્મિક ઉન્નતિ થાય.