આફત
આફત
આ જિંદગીમાં ઘણી એવી ઘટનાઓ ઘટે છે કે ના બનવાનું બને છે... અને ના થવાનું થઇ જાય છે...
અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં રહેતા કનુભાઈ મિસ્ત્રી..
એમની પત્ની રમીલાબેન ...
એક દિકરો રમેશ અને દીકરી સંગીતા...
અને કનુભાઈ ના માતા શાંતાબેન ..
આટલો પરિવાર...
કનુભાઈ રાત દિવસ મહેનત કરીને છોકરાઓ ને ભણાવ્યા ..
રમેશ શિક્ષક બન્યો અને સૂરતની સ્કૂલ માં નોકરી એ લાગ્યો..
સંગીતા ને નાતમાં પરણાવી અને સાસરે નવસારી વળાવી..
રમેશ નું પણ નાતમાં રક્ષા નામની છોકરી સાથે નક્કી કર્યું અને લગ્ન કર્યા...
હવે સૂરતમાં રમેશ ની સાથે જ રક્ષા ગઈ જેથી રમેશ ને ખાવા પીવામાં કોઈ તકલીફ નાં પડે..
કનુભાઈ સાયકલ લઈને નાનું મોટું મિસ્ત્રી કામ કરી ને ગુજરાન ચલાવતા હતા...
છોકરાઓ પોતાના સંસારમાં ડૂબ્યા હતા...
એક દિવસ રમીલાબેન ને કમરનો દુખાવો ઉપડતા સરકારી દવાખાનામાં બતાવ્યું અને દવા કરાવી પણ એમને મણકામાં ગેપ હોવાથી ઓપરેશન કહ્યું ડોક્ટરે પણ કનુભાઈ અને રમીલાબેન ઓપરેશન નહીં કરાવું એવું નક્કી કરી ને દિવસો પસાર કરતા હતા...
વેકેશન માં છોકરાઓ આવે ત્યારે રમીલાબેન ને આરામ મળે...
પછી એ જ રોજીંદી ઘટમાળ ભરી જિંદગી...
અચાનક ...
આખી પૃથ્વી પર મહામારી ની આફત ફેલાઈ...
આખાં વિશ્વમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો અને ભારતમાં પણ સરકાર તરફથી લોકડાઉન લાગું પડ્યો..
હવે કનુભાઈ નું મિસ્ત્રી કામકાજ પણ બંધ થઈ ગયું...
એક દિવસ નવરાં બેઠા કંટાળો આવતો હતો એટલે એ ટેબલ પર ચડીને માળીયા માં સામાન શોધતાં હતાં અને એકદમ ચક્કર આવ્યા એટલે એ નીચે પડ્યાં અને બધું વજન આવી જતાં થાપાનો બોલ ટૂટી ગયો...
આ ના થવાનું થયું અને એક ના જોઈતી ઉપાધિ આવી...
સરકારી દવાખાનામાં થાપા નું ઓપરેશન કરાવ્યું અને ઘરે આવ્યા...
આ ઓપરેશન માં સૂરત થી દિકરો કે સંગીતા કોઈ આવી શક્યા નહીં કારણકે બસ, ટ્રેન બધું બંધ હતું અને પોતાની પાસે ગાડી હતી નહીં...
કનુભાઈ ને ઓપરેશન કરીને ઘરે લાવ્યા ને અઠવાડિયું જ થયું હતું...
અને એ તો પથારીવશ હતા..
કનુભાઈ ના માતા શાંતાબેન નેવું વર્ષ નાં હતાં એ બપોરે એક વાગ્યે પ્રભુ ધામ પહોંચી ગયા...
હવે વિધી ની વક્રતા તો જુઓ કનુભાઈ પથારીવશ એ તો ઉભા થઈ શકે નહીં અને એમનાં મોટાભાઈ ગોધરા રહેતા હતાં... એ પણ આ લોકડાઉન માં આવી શકે નહીં..
દિકરો સૂરત હતો એ પણ આવી શકે નહીં..
નવસારી થી સંગીતા પણ આવી શકે નહીં...
આમ આ મહામારી ને લીધે ના થવાનું થયું...
પડોશીઓએ જ કાંધ આપી અને સ્મશાનમાં લઈ ગયા અને પડોશી એ જ અગ્નિદાહ આપ્યો...
આમ કનુભાઈ પર ઉપરા છાપરી આફત આવી અને આ કોરોના વાયરસ માં ના થવાનું થયું...
કર્મ નો સિદ્ધાંત કહો કે વિધી નાં લેખ...
છોકરાઓ અને પૌત્ર, પૌત્રી હોવાં છતાંય નાં પોતાના નો ખભો મળ્યો કે નાં અગ્નિદાહ ....
આમ આ પૃથ્વી પરની આફતમાં નીતનવી મુસીબત આવી રહી છે.