વિધાતા
વિધાતા
1 min
634
વિધાતા કેવા સંયોગો રચે,
બુદ્ધિથી મનને મનાવાય છે.
ઓષ્ઠ કેટલું બોલવા મથે,
શાહીથી બધુંજ લખાય છે.
લાખ શબ્દોને હરાવી જાણે,
અશ્રુ-ભાવ કેવો ઉભરાય છે.
લય-સૂર-તાલને કોણ સમજે,
સંગીત બસ ગવાય જાય છે.
મનનાં તરંગો કોણ રોકે,
ચહેરાથી બધું બોલાઇ છે.
લાગણીના ડૂમાથી હૈયું થરથરે,
કાવ્યથી બસ, કહેવાય જાય છે..