મોહમાયા
મોહમાયા
1 min
275
ભાર અશ્રુનો હવે, પાંપણને લાગે
અનરાધાર રડ્યાં પછી
આપણને આપણી જાત મૂર્ખ લાગે
થયાં પોતાનાં,પારકાં., હશે કારણ ક્યાં ?
શંકા, વહેમ,કે, નજરઅંદાજ કરવા લાગે
સમજાવ્યું,- સંસારની ઠોકરે.
વાલિયો લૂંટારો,ઋષિ બની
રામાયણ વાંચવા લાગે
ધરા ને આભ વચ્ચે જીવે 'જીવડો'
મળે તાપ-પરિતાપ ને સંતાપ
ત્યારે પ્રભુને મળવા માંગે
શ્યામ દિવાની રાધા ખૂબ શિયાની
બાળપણથી ત્યાગી મોહમાયા
ને મુરલ માં ભાન ભુલવા લાગી
જાણે,ઈશ્વરને પોતાનો કરવા માંગે
