STORYMIRROR

Jagruti rathod "krushna"

Others

4  

Jagruti rathod "krushna"

Others

માયાજાળ

માયાજાળ

1 min
352

બાળપણમાં વરી ચૂક્યા'તા મીરાં તો ગિરિધરથી,

પછી કદી ના અળગા રહ્યા એ તો મુરલીધરથી !


માતપિતાએ સગપણ એનું કીધું રાણાજી સાથ,

પણ મીરાંને લગની લાગી હતી શામળિયા સાથ !


હાર ને આભૂષણ ઘણા, રાણા મીરાંને મોકલાવે,

પણ મીરાં નિજ કંઠને તુલસીમાળાથી સોહાવે !


રાણો કહે મીરાંંને, સેલા ઘરચોળા પહેરોને રાજ,

મીરાંંએ પડવા ન દીધી ભગવામાં બીજી ભાત !


થાકી હારી રાણાજીએ તો ઝેર કટોરી મોકલ્યું,

કીધું હરિએ તે અમૃત, મીરાંએ તો પીને જાણ્યું !


સ્પર્શી શકી ન કદી મીરાંને દુનિયાની માયાજાળ,

મસ્ત મગન બની નાચે એતો લઈ હાથે કરતાલ !


Rate this content
Log in