ચાંદને કહો
ચાંદને કહો
આ ચાંદને કહો,
રોજ આકાશે આવે,
આ ચાંદને કહો,
આ માનવીનું હૃદય પણ ઉજળું કરે,
આ ચાંદને કહો,
દુઃખનો અંધકાર પણ દૂર કરે,
આ ચાંદને કહો,
આ નિરાશાનો અંધકાર પણ દૂર કરે,
આ ચાંદને કહો,
દરેક માનવીનાં મસ્તિષ્કમાં શીતળતા બક્ષે,
આ ચાંદને કહો,
દરેક માનવીમાં સ્ફૂર્તિનો સંચાર કરે,
આ ચાંદને કહો,
દરેક માનવીને કર્મયોગી બનાવે,
આ ચાંદને કહો,
દરેકમાં સદવિચાર અને સારી પ્રેરણા આપે,
આ ચાંદને કહો,
માનવને સાચા અર્થમાં માનવ બનવા પ્રેરિત કરે.
