આઝાદ પંખી
આઝાદ પંખી
1 min
143
એક પંખી પાંજરે પુરાઈ ગયુ,
ગગને મૂક્ત મને ઊડતું પંખી,
પીંજરામાં રહેલ પંખીને પૂછી રહ્યું,
તને પીંજરામાં ગુંગળામણ નથી થતી ?
એક નિસાસો નાખી પીંજરામાનું પંખી બોલ્યુ,
ગુંગળામણ તો થાય છે પણ શું કરૂ !
અમુક નિર્દયી માણસોના લીધે હું લાચાર છું,
તુ નસીબદાર છે કે તને ખૂલી આકાશ મળ્યુ,
મુક્ત ગગને વિહરવા માટે.
તુ એક આઝાદ પંખી ને હું એક ગુલામ પંખી,
આટલો જ ફરક છે તારા અને મારા જીવનમાં.