Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Children Stories Fantasy

4.9  

Kalpesh Patel

Children Stories Fantasy

સોનકુંવરી- ઊડી શમણાંના દેશમાં

સોનકુંવરી- ઊડી શમણાંના દેશમાં

12 mins
1.2K


“સોનપુર” નામનું એક નગર હતું. તેનો રાજા 'સુકેતુ’ માયાળું અને પંખીઓની ભાષાનો જાણકાર અને કલાકારોનો કદરદાન હતો. તે અવાર-નવાર, તેના નગરમાં વેશપલટો કરી નગર વાસીઓના દુ:ખો જાણી તેને દૂર કરતો રહેતો. સૌ કોઈ નેક અને સંતોષી હોઈ, સોનપુર નગરના કોઈ પણ ઘરને દરવાજાઓ નહતા. સુકેતુ રાજાને એક રાણી હતી, તેનું નામ “મેખલા’ હતું. તેઓને એક રૂપ રૂપના અંબાર “સોનકુંવરી” નામની દીકરી હતી. તેના વિવાહ એક મોટા દેશના રાજકુંવર સાથે થવાના હતા,“સોનકુંવરી”ના લગન માટેની તૈયારીનાઅદકેરા આનંદમાં સુકેતુ રાજાએ પોતાના તમામ દાસદાસીઓ, સેવક-સેવિકાગણ તેમજ દરવાન-અનુચરોને આદેશ આપી દીધો હતો કે સોનકુંવરીના લગનમાં આવનાર દરેક મહેમાનોની સરભરામાં કોઈ કસરના રહેવી ઘટે. સુકેતુ રાજાના ઘરે ઘણા વરસો પછી આવેલા શુભ અવસરથી સૌ નગરવાસી આનંદમાં હોઈ બધા રાજકુમારીને કોઈને-કોઈ ભેંટ-સોગાત આપવા થનથનતા હતા.

એક દિવસ સુકેતુ રાજાના દરબારમાં, બીજા નગરનો એક તરુણ-સાગર નામનો કલાકાર તેણે બનાવેલી છબીઓ લઈ આવ્યો. એક પછી એક છબીઓ રજૂ કરી. તેણે એક બગીચામાં ઉગેલા વિવિધ ફૂલની આબેહૂબ છબી દરબારી સમક્ષપેશ કરી.. દરબારીઓ હજુ તે બગીચાના કૂલોની છબી નીરખે તે પહેલા ભમરાઓ નું ઝુંડ આવી તે બગીચાની છબી ઉપર તેણે દોરેલા ફૂલો ઉપર પામરવા માંડયા. સુકેતુ રાજા અને દરબારીઓ કલાકારની કળા ઉપર ખુશ થઈ ગયા. અને રાજકુંવરી માટે એક બેનમૂન છબી દોરવા વિનંતી કરી. તરુણસાગરે“સોનકુંવરી” સાથે એક દિવસ સાથે રહી રાજકુમારીની પસંદ અનુસાર છબી બનાવી આપવા રાજી થયો,તરુણ-સાગરે, રાજકુમારી અને તેના દાસી-ગણ સાથે એક દિવસ વનવિહારમાં વિતાવી,અને તે પછી,તે તેના નગરમાં છબી બનાવવા માટે પરત ગયો. 

બીજે અઠવાડિયે તરુણસાગર એક મોટી આદમ કદની છબી લઈ સુકેતુ રાજાના દરબારમાં આવ્યો. તેણે બનાવેલી નવી છબીમાં એક મનમોહક મહેલ, તેની આસપાસ સરસ ખીલેલા ફૂલો, ફળ-ફળાદીથી લચી પડેલા ઝાડ સાથે ખૂણે વહેતું નાનું ઝરણું પણ જીવંત દેખાતું હતું, અને આકાશમાં ઊડતાં પારેવડાઓ, અને એક વિશલ સમડી તેમજ પાંખો વારો દૂધથી પણ અધિક સફેદ ઘોડો મહેલના દરવાજે ઊભો રહી ઘાંસ ચરતો હતો. તરુણ-સાગરે આ છબી દોરવામાં તેની તમામ કળા એક સાથે નિચોવી નાખી હતી અને,જીવંત લાગતી અદભૂત છબી જોતાં દરબારી અને સુકેતુ રાજા, સૌ કોઈ મોઢામાં આંગળીઓ નાખી અચંબામાં પડી ગયા હોય તેમ ચકિત થઈ કલાકાર ને બિરદાવતા હતા.

તરુણ-સાગરે તેણે દોરેલી છબીની ખૂબી જણાવતા સુકેતુ રાજા અને રાજસભાના દરબારીઓને કીધું, આપણી રાજકુમારી મૂંગા હોવાથી, આ છબીની દોરેલી દરેક વસ્તુ “સોનકુંવરી”ના મનના આવેગ મુજબ જીવંત બનશે, તેમના હુકમ મુજબ રાજકુમારીની સેવા કરશે.હજુ કલાકાર છબીની બીજી ખૂબી રજૂ કરે, તે પહેલા રાજકુંવરીની આજ દિવસ સુધી આમ જનતાથી છુપાવેલી મૂંગા હોવાની ખોડ, હવે જાહેર થઈ તેથી સુકેતુ રાજા બેહદ નારાજ હતા. તરુણ-સાગરથી તે છબી અંગેની કોઈ વધુ વિગત લીધા વગર તેમણે નગરના સિપાઈઓને હુકમ કરી તરુણ-સાગરને કારાવાસમાં પૂરી દીધો. દરબારીઓ પણ સુંદર - રૂપ રૂપના અંબાર“સોનકુંવરી બોલી નથી શકતી, તે હકીકતની જાહેરાતથી દરબારીઓ દુઃખી અને ચકિત હતા ..સુકેતુ રાજાએ દરેક દરબારીને આ હકીકત કોઈને પણ ન કહેવા તાકીદ કરી, અને તરુણ-સાગરે બનાવેલી છબીને “સોનકુંવરીના આવાસમાં રાખી દીધી.

આટલી મોટી છબી લઈને રાજાના સિપાઈઓ રાજકુમારીના આવાસે ગયા તે વખતે રાજકુમારી બહાર તેમની માતા સાથે ગઈ હતી. સિપાઈઓ તે છબી રાજકુમારીના પલંગની સામેની દીવાલને અઢેલી રાખી પરત ગયા. રાજકુમારીને પરત આવતા મોડુ થયું અને થાકી ગયેલી હોઈ, આવતા વેત સૂઈ ગઈ. સવારે આંખ ખૂલી ત્યારે રાજકુમારીએ જોયું તો કોઈ દાસી હાજર નહતી. અને તેની નજર સામેની દીવાલે રાખેલી છબી જોતાં. તેમાં બધુ ભૂલી, તે છબી નિરખવામાં ખોવાઈ ગઈ. છબીમાં રહેલું વહેતું ઝરણું જોઈ, રાજકુમારીને તેમાં હાથ પગ ધોવાનું મન થયું... અને ત્યાં છબીના ઝરણાનું વહેણ રાજકુમારી પાસે વહી આવી, ઝરણાએ તેના હાથ પગ ધોઈ દીધા.”સોનકુંવરી” મૂંગી હતી, પરંતુ તે હોશિયાર હતી, અને છબીની જાદુઈ ખૂબીથી વાકેફ થતાં મનોમન પિતાનો આવી જાદુઈ છબી બદલ આભાર માની, ઝરણાને પરત જવા કીધું.  

સમય પસાર થતો રહ્યો. એક દિવસ અડધી રાતના સમયે રાજકુમારી ઊંઘમાં પરીઓના દેશમાં મહાલતી હોય તેવું સમણું જોતી હતી અને તેની આંખ ખૂલી તે વખતે, તે હકીકતમાં તેના પલંગ ઉપર હતી, સુંદર પરીઓના દેશની સફરમાં ભંગ પડતાં સોનકુંવરી દુઃખી થતી હતી. પરીઓના દેશની સુંદરતાની ઝલક જોયા પછી પોતાના દેશમાં હવે તેને ગોઠતું નહતું. તેના મનમાં સતત પરીઓના તે દેશના વિચારો હતા. તે વિચાર કરી રહી હતી, કે કોઈ પાછું મને તે દેશમાં લઈ જાય તો કેવું? કોને કહું તો મને તે દેશમાં ફરીથી લઈ જાય.તે વિચારમાં તેની નજર સામે રાખેલી છબીમાં રહેલા સફેદ પાંખવાળા ઘોડા ઉપર પડતાં, તેનું મન બોલી ઉઠ્યું,“ઓ પાંખવાળા ઘોડા-મામા,તમેતો પાંખ વાળા છો, તમે ધારો તો મને મારા સમણાંના પરીઓના દેશમાં તમારી સાથે ઉડીને લઈ જઈ શકો તો મને ગમશે”. રાજકુમારીના મન’ના વિચારોના આવેગ સમે તે પહેલા એક મોટી પવનની લહેર રાજકુમારીના આવાસમાં તાજા ફૂલોની સુવાસ સાથે ઉમટી આવી  અને ”સોનકુંવરી”ની આંખ સામે છબીમાં રહેલો તે સફેદ પાંખવાળો ઘોડો તેની પાંખ હલાવતો જીવંત થઈ રાજકુમારીના પલંગ સામે માથું જુકવી આવી ઊભો.રાજકુમારી તો રાજીની રેડથઈ પલંગમાથી ઊભી થઈ પાંખ વારા મામાનો આદર કરતા કેડ નમાવી ઊભી. પાંખવાળા ઘોડાએ તેની પીઠ નમાવી રાજકુમારીને બેસવા કીધું. અને સોનકુંવરી ઘોડાના ઉપર બિરાજી. હવે તે સફેદ પાંખ વાળો ઘોડો પવનથી અધિક વેગથી ઊડી આકાશની પાર આવેલ પરીઓના દેશમાં રાજકુમારીને લઈ ગયો. આ વખતે પણ ખૂણામાં દાસી ઊંઘતી હોઈ આ છબીની કરામતની જાણ કોઈને નહતી અને રાજકુમારીને છબીનાં ઘોડા સાથે ઊડી ગઈ, સવારે ઊઠી તે સમયે રાજકુમારીને ગાયબ જોઈ તે આવક થઈ ગઈ, અને રાણીબાને આ અજીબ બીનાની જાણ કરવા દોડી ગઈ....

…….હવે આ બાજુ ઘોડાએ રાજકુમારીની મરજી મુજબ લાંબી ઉડાન ભરી સમણાંના પરીઓના દેશના એક બગીચામાં આવીને રાજકુમારીને બગીચામાં ફરવા માટે ઉતારી.રાજકુમારીનો આનંદ સમાતો નહતો, પરીઓના બગીચામાં ફરતા જોયું તો હોજમાં રંગીન પાણીના ફુવારા ઊડતાં હતા. ચારે બાજુ પરીઓ હવામાં ઊડી રમતી હતી.પરીઓનો બગીચો અજીબ હતો, અંહી પંખીઓ પગે ચાલતા હતા અને ગાય, બકરી ઘોડા, ગધેડા, વાંદરા, સિંહ, વાઘ.જેવા પશુઓ તેમની પાંખથી ઊડી વિહાર કરતાં હતા..અંહિનો આખો આલમ અજાયબ હતો. બધા તેને ચાલતી જોઈ નવાઈ પામી રાજકુમારીથી ડરતા હતા. સોનકુંવરી તે બધાનો હસી ડર દૂર કરી જતાં જતાં એક આંબાના ઝાડ નીચે પહોચી. 

રાજકુમારી તમારું હું અભિવાદન કરુ છું .રાજકુમારીએ બોલતા આંબાના ઝાડ ઉપરનજર ફેરવી જોયું અંહીના બોલતા આંબાના ઝાડ ઉપર પપૈયાં જેવી મોટી અને સોનેરી રંગની ચમકતી કેરીઓ હતી. આ જોઈ રાજકુમારીને અચંબામાં પડી જતાં જોઈ. અજબ ગજબ બોલતા આંબાના ઝાડે રાજકુમારીને એક કેરી ખાવા આપી. બોલતા આંબાના ઝાડે જેવી એક સોનેરી કેરી રાજકુમારીના હાથમાં મૂકી, તે વખતે તરતજ તે સોનેરી કેરીમાથી એક મીઠા રસની ધાર આપોઆપ ઊડીને રાજકુમારીના મુખમાં પડી. સોનકુંવરીનું પેટ તો આવા મધુર રસ થી ભરાઈ ગયું હોવાથી તે આંબાના ઝાડ નીચે સૂઈ ગઈ.

કેટલો સમય થયો તેની રાજકુમારીને ખબર નહતી, પરંતુ તે ઊંઘમાથી ઊઠી ત્યારે દિવસ આથમી ચૂક્યો હતો. પણ આ અજીબ પરીઓના દેશની વાત અલગજ હતી , અહીં આખા મલકને માથે રાતનો કાળો ડીબાંગ અંધકાર હતો, તો આખી ધારા ચાંદી જેમ ચમકતી હતી. દરેક ઝાડના ફૂલો સોના જેમ ચમકતા હતા. અને દાડમના ઝાડ પાકેલાં દાડમના દાણાં મોતી જેવા ચમકી ઉજાસ રેલવતાં હતા.

સોનાકુંવરી તો આ અજીબ નગરી જોઈ ગાંડી ઘેલી થઈ આગળ ચાલી નીકળી. અને થોડે દૂર પહોચી જોયું તો તેને તે જગ્યાએ હવામાં તરતો એક મહેલ જોયો. મહેલ પાસે પહોચી ત્યારે મહેલની કેડી નીચી નમી તેને મહેલ માં આવવા માટે બોલાવતી હતી. રાજકુમારીએ ઊડતાં મહેલની કેડીએ પગ મૂકી મહેલમાં જવા લાગી ત્યારે, મહેલની કેડી પછી જમીનથી ઉપર આવી તે પણ મહેલ સાથે ઉડવા લાગી. રાજકુમારી માટે આ બધુ નવું હોઈ આનંદિત હતી. ઊડતાં મહેલ માથી નીચે દેખાતો પરીઓનો દેશ બહુજ સુંદર લાગતો હતો. સોનકુંવરી તો આ નજારો જોતાં ધરાતી નહતી. આખરે તે ઊડતાં મહેલના દરવાજે પહોચે છે ત્યાં તેણે મોઢેથી આગ ઓકતા અજગરને મહેલના દરવાજે ચોકી કરતો જોયો. રાજકુમારી આવા વિશાળ કાય આગ ઓકતા અજગરને ભાળી ડરી ગઈ. ત્યાં હાથમાં રહેલી પેલી પપૈયા જેટલી મોટી સોનેરી કેરી બોલી,ઓ બહેનબા ડરો નહીં, મને અજગરને ખાવા આપજો, તે મને ખાતો હોય તે વખતે તમે તેની નજર ચૂકવી મહેલમાં ઘૂસી જજો. સોનકુંવરી માટે એક વધારે નવાઈ હતી. અહીની કેરી પણ બોલી રહી હતી. રાજકુમારીએ ઈશારાથી કેરીને કીધું, તે મને બહેન બનાવી છે, તો શું કોઈ તેની નાની બહેનને અજગરના હવાલે કરી મરવા કેવી રીતે છોડી શકે? રાજકુમારીના મન’ની મુઝવણ કળી જતાં કેરી બોલી, બહેનબા તમે ફિકર ના કરો, તે અજગર મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. હું તમારી પાછળ જ આવી રહી છું. આખરે રાજકુમારીએ થોડી બહાદુરી બતાવી, સોનેરી કેરી બહેનની શિખામણ મુજબ. તેને અજગર પાસે છોડી પોતે ઊડતાં મહેલની અંદર પહોચી ગઈ.

મહેલની અંદરની સજાવટ જોઈ રાજકુમારી આભી બની ગઈ. ચારે બાજુ ઊડતાં વિવિધ રંગના પતંગિયાઓએ તેઓના મધુર સંગીત સાથે રાજકુમારીને આવકારી ઊડતાં મહેલની રાણી પાસે લઈ ગયા. સોનકુંવરીએ હવે રાણીબા પાસે પહોચી આવકાર બદલ આભાર માની વંદન કરી બેઠી. હોશિયાર સોનકુંવરીએ જોયું કે આટલું બધુ સુખ અને અજાયબ ચીજો સાથે રાણીબાના ચહેરા ઉપર દુ:ખ ડોકાતું હતું. તેણે રાણીબાના દુ:ખનું કારણ પૂછવું હતું પણ , શું કરે? તેનાથી બોલી શકતું નહતું. તેણે જોયું દરવાજે આગ ઓકતા અજગર પાસે તે કેરી બહેન ને છોડી આવી હતી તે હવે હવામાં ઊડતી ઊડતી આવી અને પાછી રાજકુમારીના હાથમા આવી સમાઈ. બોલતા આંબાના ઝાડની તે કેરી તો જાદુઈ હતી તેને પળમાં ખબર પડી કે રાજકુમારીના દિલમાં શું છે ?, તેણે તરત રાણીબાને કુરનીશ બજાવતા રાજકુમારી વતી રાણીબાને તેઓના દુઃખની વિગત જણાવવા વિનંતી કરી.

 રાણીબાએ આસું લૂછતા કહ્યું , દીકરી શું વાત કરું? એક શેતાન જાદૂગરે મારા પતિને ઉઠાવી લઈ ગયો છે અને મારી સાથે બળજબરીથી લગન કરવાનો છે. તે હવે આવતી પૂનમના દિવસે આવશે, અને હું લગન કરવાની ના પાડીશ તો મારી સામે મારા પતિને ખાઈ જશે. એવી ધમકી આપી. અમારા મહેલની બહાર તેણે અજગરની ચોકી બેસાડી છે. તે હમણાં થોડા દિવસ જાદુની સાધના માટે પરદેશ ગયો છે. હું બહુ ભયભીત છું. આ શેતાની જાદુગરમને ખૂબ હેરાન કરે છે. મારી પાસે આ નીચને અહીંથી દૂર કરવાનો કોઈ ઉપાય નથી,એટલે મારા પતિના જીવન માટે, મારે તેની માંગણીને તાબે થયાં વગર ચાલે તેમ નથી. શું તારી પાસે છે કોઈ ઉપાય ? આ શેતાનથી છૂટવા માટેનો ? રાણીબાએ પૂછ્યું.

રાણીબાની વાત સાંભળી તે વખતે સોનકુંવરીને, તેના માતા પિતા અને દેશ યાદ આવી ગયો. હમણાં સુધી પારીઓના અજાયબ દેશની અજાયબી જોવામાં તે ખુદ પોતાને પણ ભૂલી ગઈ હતી. રાજકુમારીને પાંખવાળા ઘોડા મામા પણ યાદ આવી ગયા. તેને પોતાની ભૂલ હવે સમજાતી હતી,પરાયા દેશમાં સાથીદાર વગર ના ફરાય, પણ હવે શું ? ભૂલ થયા પછીનું ડહાપણ કામ આવે ખરું ?, રાજકુમારી જાણતી હતી, કે તેના પિતા બળવાન અને સાહસિક છે, તેઓને રાણીબાની મદદે આવવા સંદેશો કેવી રીતે મોકલે ? ઊડતો ધોડો હતો, પણ તે રાજકુમારીની સામે આવે તોજ રાજકુમારી તેના મન’ના આવેગ મુજબ હુકમ કરી કામ કરવી શકે. તે હવે કોઈજ મદદ કરી શકે તેમ નહતી. રાજકુમારી લાચાર હતી, તે એકલી રાણીબાને મદદ નહીં કરી શકે તેનું તેને પારાવાર દુઃખ હતું.......

.......હવે આ બાજુ સોનપુર નગરમાં સુકેતુ રાજા પરેશાન હતો, બે દિવસ પછી સોનકુંવરીના લગન માટે જાનૈયા આવવાના હતા, પરંતુ ખુદ સોનાકુંવરી ગાયબ હતા,બંધ અને ચોકી હેઠળ આવેલા તેના આવાસમાંથી રાજકુમારી સાહીબા સવારે ગાયબ હતા. સૌ ચોકીદારો અને સિપાઈઓ શરમ અનુભવતા હતા. રાજા સુકેતુ ચિંતિત હતો, કે વેવાઈને કેવીરીતે તેમનું મોઢું બતાવશે?. આ તો આખા નગરની આબરૂનો સવાલ હોવાથી નગરજનો પણ દુઃખી થતાં હતા. સુકેતુ રાજા દયાળુ હોઈ, દરરોજ પંખીઓને ચણ નાખવાનું ભૂલતો નહીં. આવી મોટી ચિંતામાં પણ તેણેપંખીઓને ચણ માટે મોટા મોતીજેવા બાજરીના દાણા દીઘા. અને પંખીઓને બાજરીના દાણા ખાતા જોઈ પોતાનું દુઃખ ભૂલતો હતો. તેવામાં એક કબૂતર ચકલીને કહેતો હતો. અરે ‘ચકલીબેન’ આ માયાળું રાજાનું દુઃખ મારાથી જોવાતું નથી. આ માયાળું રાજા કોઈ પાપ લાગે તેવું કોઈ કામ કરતો નથી, તો કેમ તે હેરાન થાય છે? હવે આ કબૂતર અને ચકલીબેન બે વાતો કરતાં હતા, તેવામાં એક પોપટ પણ બાજરીના દાણા ખાવા આવી ગયો. તેણે આ બે જણની વાત સાંભળી કીધું. અરે મૂરખાઓ...ભગવાન, સુકેતુ રાજાના હાથે લોકોનું ભલું કરાવવા માંગે છે. પરંતુ રાજાએ ખોટો તરુણ સાગરને કેદ કરેલ છે. જો રાજા તે કલાકારને છોડશે, તો તે તરુણ સાગર રાજાનું દુ:ખ દૂર કરી શકે તેમ છે,પરંતુ તેના હજૂરિયા દરબારી તેમને ખરી સલાહ આપતા નથી. અને રાજા, રાણી અને કોમળ રાજકુમારી તેમજ ભોળા નગરજનો બધા દુ:ખી છે.

પંખીઓની ભાષાના જાણકાર સુકેતુ રાજાએ, કબૂતર, ચકલીબેન અને પોપટના સંવાદ સંવાદ સાંભળી, સીધો દરબારમાં ગયો અને સિપાઈઓ ને તરુણ સાગરને કારાવાસમાંથી છોડી,માન ભેર દરબારમાં લઈ આવવા કીધું.સુકેતુ રાજાએ પોતાનું દુઃખ જણાવતા, સોનકુંવરીના સગડ માટે કલાકારને વિનંતી કરી તેને સોનકુંવરીના આવાસે લઈ ગયા. તરુણ-સાગરે અંહી આવતા જોયું તો તેની દોરેલી છબીમાંથી પાંખ વારો ઘોડો ગાયબ હતો. તે જોતાં તેણે ખબર પડી ગઈ કે રાજકુમારી તે ઘોડાને લઈ ફરવા ગયા છે. થોડો સમય, તેણે વિચાર કર્યો, અને વિચાર ને અંતે રાજાને કીધૂ કે આપણાં આ છબીમાં દોરેલા ઊડતાં ઘોડા લઈ રાજકુમારી ફરવા ગયા લાગે છે. હવે તે કઈ જગ્યાએ હશે તે કહેવું અઘરુ છે ? પરંતુ હું આ છબીમાં દોરેલી સમડીને આદેશ આપું છું, તે ઊડીને, આપણો ઊડતો ઘોડો કઈ જગ્યાએ છે, તે શોધી આપશે, એટલે આપણે તે આધારે રાજકુમારીની ભાળ મેળવી પરત લાવી શકીશું. તેવું કહેતા તરુણ-સાગરે તેની આંખ મિચી તે સમડીને ઘોડાની ભાળ મેળવવા આદેશ આપ્યો. અને સમડી પલકારમાં છબીમાંથી જીવંત થઈ ઊડી ગઈ.

બે કલાકના ટૂંકા સમયમાં જોજન દૂરનું અંતર કાપી સમડી પાછી તરુણ સાગર પાસે આવી , રાજાએ પહેલેથીજ સમડીને ખાવા દાણા અને પીવામાટે પાણી હાજર રાખેલું હતું. તે સમડીએ ખાઈ-પી તેનું પેટ ભરી લીધુ, અને માહિતી આપતા કીધૂ આપણો ઘોડો આસમાનની પર આવેલા પરીઓના દેશના બગીચામાં ઊગેલું સોનેરી ઘાંસ ચરી, મોજ કરેછે. રાજા આ સાંભળી ચિંતામાં પડી ગયો આસમાનની પાર આવેલા પરીઓના દેશમાં કઈ રીતે જવાશે ? તેનો ઉકેલ જડતો નહતો.રાજાને ચિંતામાં જોઈ તરુણ સાગરને રાજાની દયા આવી. તેણે રાજાને કીધું મને મોટો કાગળ અને અમુક રંગ લાવી આપો. હું તમને ઊડતી શેતરંજી દોરી આયપીશ. તે જાદુઈ ઊડતી શેતરંજી તમારા હુકમ મુજબ ઉડીને તમને અને તમારા સિપાઈને લઈ જશે.તમે ભૂલા ના પડો એટલે,તમેઆ સમડીને તમારી સાથે રાખજો. 

બીજે દિવસે તરુણ સાગરે જાદુઈ શેતરંજીની છબી રાજાને દોરી આપી. સુકેતુ રાજાએ તેના બહાદુર સૈનિકોને સાથે લીધા અને બધા તે જાદુઈ ઊડતી શેતરંજીની ઉપર બેસી ને સમડીની પાછળ ઊડતાં ઊડતાં આખરે પરીઓના દેશમાં પહોચી ગયા. પાંખ વાળા ઘોડાએ તેની સાથીદાર સમડીને જોઈ આનંદિત થઈ ગયો અને સમડીએ રાજકુમારીનું ઠેકાણું પૂછતાં, તે પાંખવાળા સફેદ ઘોડાએ કીધું, રાજકુમારી મને અહી છોડી ફરવા ગયા છે. વધારે વિગત મને ખબર નથી, તે માટે તમે સામે રહેલા સોનેરી કેરીવાળા આંબાને પૂછો, તેની એક કેરી સાથે મે રાજકુમારીને ફરતા જોઈ હતી. રજાનો આખો રસાલો આંબે જઈ ઊભો, તે વખતે આંબાએ બીજી એક કેરીને તેની મોટી બેનની તપાસ કરી રાજાને તેની પાસે લઈ જવા કીધું. સોનેરી કેરીએ આખો આ પરીઓનો દેશ જોયેલો હતો, એટલે એકજ પળમાં રજાનો રસાલો તે ઊડતાં મહેલ પાસે પહોચી ગયો.દરવાજાએ આગ ઓકતા અજગરો ફરી એક વાર સોનેરી કેરીનો મધુર રસ પીવા રોકાયા, અને રાજ અને તેના સિપાઈ અને સમડી બધા મહેલમાંઘૂસી ગયા.

સુકેતુ રાજાને પરીઓના દેશના ઊડતાં મહેલમાં જોઈ , સોનકુંવરી આનંદમાં આવી ગયા, અને રાજાએ પોતે કેવીરીતે અંહી કેવી રીતે પહોચી આવી ગયા તે તેમની વહાલી દીકરી સોનકુંવરીને કીધું. અને ઝટપટ શેતરજી ઉપર આવી જવા કીધું, તે વખતે સોનેરી કેરીએ સોનકુંવારીના દિલમાં વસેલા રાણીબના દુઃખની વાત, સુકેતુ રાજાને કરી.કેરી અને રાજાની અને બેટીના મન‘ની વાતો સાંભળી રહેલ જાદુઈ સમડીએ સમાધિ લગાવી જોયું, તો જાદુગર દૂરના દેશમાં મોટી પૂજા કરી રહેલ હતો. અને જો આ પૂજા સફળ થાય તો.તે શેતાન જાદુગર આજેય અને અમર બનવાનો હતો, અને આખું જગત તેના તાબે આવવાનુ હતું. સમડીએ રાજાને વધુમાં કીધુ, હે રાજન આ શેતાન દિમાગ વાળા જાદુગરને તેની સાધના કરતાં રોકો તેમાં તમરું અને અમારું ભલું છે. આ જાદુગરનો જીવ દરવાજે રહેલા અજગરની આંખો માં છે. કોઈ જો તે આગ ઓકતા અજગરની આંકો ફોડે તે જાદુગર દેખતો બંઘ થઈ અહી તરત દોડતો આવશે. તે વખતે તે આંધળો હોવાથી તેણે કશુજ દેખાશે નહીં, તે વખતે તમે અને તમારા સૈનિકો એક સામાટો હુમલો કરી તમે મારો તો આ રાણીબાના પતિ જાદુગરની ચુંગાલમાંથી છૂટા થશે અને રાણીબાનું દુઃખ દૂર થશે. તે પછી અહી આખાય અજબ પરીઓના દેશમાં સુખનો સુરજ ઊગશે.

સુકેતુ રાજા અને તેના બહાદુર સિપાઈઓએ કોઈ ભૂલ વગર સમડીએ કીધા મુજબ, પહેલા તીર છોડી આગ ઓકતા અજગરની આંખો ફોડી નાખી. અને જેવી અજગરની આંખો ફૂટી,તેવોજ મોટો ધડાકો થયો અને આંખ ચોળતો લાંબી દાઢીવાળો શેતાન જાદુગર આવી ઊભો. રાજના સિપાઈઓએ તરત કાણિયા જાદુગરને પકડી સુકેતુ રાજા પાસે હાજર કરી દીધો. સુકેતુ રાજાએ તલવારના ઘા મારી તે શેતાનને યમસદન પહોચાડી દીધો. એજ વખતે, બગીચામાં રહેલા સોનેરી કેરી વાળા આંબામાં કૌતુક થયું, આંબાની બધીજ સોનેરી કેરીઓ સિપાઈ બની ગઈ, અને અંતમાં અંબાના ઝાડના થડમાથી પરીઓના દેશનો રાજા બહાર આવી,જાદુગરની ચુંગલમાંથી તેને અને તેની રાનીને છોડાવવા બદલ સુકેતુ રાજાનો આભાર માની લીધો. પરીઓના દેશના રાજાએ રાજકુમારીને કીધું કે તે, તેને ગમે તેટલા પરીઓના દેશના બગીચામાં રહેલ જાદુઈ ફળ અને ફૂલના છોડ તેના નગર સોનપુર લઈ જઈ શકે છે.

સોનકુંવરી સમજુ હતી તેણે , ઈશારો કરી ના પાડી,“તકલીફમાં હોય તેની મદદ માટે કોઈ ભેંટ ના હોય”. આમ સોનકુંવરીને ઈશારાની ભાષા થો બોલતા જોઈ, પરીઓના દેશના રાજાને ખબર પડી કે રાજકુમારી તો બોલી નથી શકતા. તેઓએ તરત એક જાદુઈ દાડમ સોનાકુંવરીને ખાવા કીધું. આ દાડમનો પહેલો દાણો રાજકુમારીએ જેવો ખાધો, તેજ વખતે રાજકુમારીને વાચા ફૂટી અને બોલી ઉઠ્યા “ વાહ અદભૂત છે “ મારે આ બેનમુન દાડમનું ઝાડ મારી સાથે લઈ જવું છે.

પોતાના પતિને શેતાનની ચુંગલથી છૂટા થયેલા જોઈ રાણીબા ખુશ ખુશાલ થઈ ગયા. અને તેમણે અઢળક અવનવા પોશાકો રાજકુમારીને ભેટમાં આપ્યા અને લગન પછી ફરીથી પરીઓના દેશમાં ફરવા આવવા કીધું. સોનકુંવરી તો તેના માનીતા બની ગયેલા પાંખવાળા ઊડતાં ઘોડા ઉપર સવાર થઈ અને સુકેતુ રાજા અને તેનો રસાલો જાદુઈ શેતરજી લઈ મહેલે પરત પહોંચી ઊભો, તે વખતે સોનકુંવરી રાજકુમારીના લગનની જાન સોનપુર નગરના દરવાજે આવી ઊભી હતી. રાજકુમારીને તેના લગનમાં આશિષ આપવા બે બે પિતાઓ હાજર હતા, એક તેના પિતા સુકેતુ અને બીજા પરીઓના દેશના રાજા. અને પરીઓના દેશના રાજાએ તરુણ-સાગરને તેમનો દીકરો બનાવી તેમના દેશમાં સાથે લઈ ગયા. ભલાઈ કરનારને હંમેશા મીઠા ફળ મળે છે, ભલાઈએ સોનકુંવરીને જાદુઈ દાડમ તો સોનપુર નગરના રાજાને પરીઓના દેશના રાજા જેવો ભાઈબંધ, અને પરીઓના દેશના રાજાને દેવસમાન દીકરો દીધો. આમ બધાએ અંતમાં બધાએ ખાધું - પીધું અને મોજ કરી’.


Rate this content
Log in