ભિતરની વાતો
ભિતરની વાતો
નિહાળી તો લીધું પ્રતિબિંબ સૌ કોઈએ આ ચહેરાનું,
પણ ભિતરના અવાજને કોઈ સાંભળી ના શક્યાં,
જે શબ્દોમાં વહે છે લાગણી તે જ અંદર ગૂંગળાઈ મરે છે,
કોણ જાણે છે મનની સાચી હકીકત ?
જયારે મન પોતે પણ વિચલિત રહે છે વિચારોમાં,
કહી શકાય એટલા બધા છે અહીં પોતાના લાગતા લોકો,
જેમાં ભાગ્યે જ કોઈ જડી આવે છે જે સમજે છે વાતને,
કહેવાય છે જિંદગી ખાલી ચાર દિવસની મહેમાન છે,
પણ આ ચાર દિવસ જાણે વર્ષોના હોય તેવા હોય છે,
જ્યાં રોજ કોઈને કોઈની સાથે મુલાકાત થઈ જાય છે,
આ મુલાકાત પણ જિંદગીની અજીબ રંગત છે,
જ્યાં ખાલી ચહેરો જોવાય છે,
ને એકબીજાની ઓળખાણ થતી હોય છે,
કોણ કોને કેટલું સમજવાના છે ?
તે વાત તો ખાલી એમ જ રહી જાય છે,
જે વાત શબ્દોમાં નથી તે વાત ચહેરા પર દેખાય છે,
જે ચહેરા પર છે તે વાત દિલની અંદર નથી,
જે દિલમાં છે તે વાત મન નથી માનતું,
આ બધી હકીકત પછી પણ કોણ બધું સાચે સમજે છે ?
જેના વિચારોથી લઈને દિલની લાગણી પણ બદલે છે,
આ વાત ખાલી કહેવાની છે,
બાકી તો બધું એમ જ ચાલે છે જેમ ચાલવાનું છે.