નિજાનંદ
નિજાનંદ
1 min
6.7K
મારે,
ક્ષણને તોડવી નથી,
સમયને બાંધવો નથી;
ચાંદ ને ચંદરવાની શી જરૂર?
મારે,
નદી - પર્વત ખૂંદવા નથી,
અરણ્યમાં ભટકવું નથી;
સૂર્યને પ્રતિબિબિંત કરવાની શી જરૂર?
બસ!
મારે –
નિજાનંદમાં રમી લેવું છે, ભમી લેવું છે.
મનની આંખ અને પાંખ વડે જીવી લેવું છે.