કાળી ચૌદસ - એક ભયાનક રાત
કાળી ચૌદસ - એક ભયાનક રાત
કાળી ચૌદસની રાત મિત્રો આમ તો ખુબજ ભયાનક અને ડરાવાની હોય છે અને એમાં પણ તે રાત ના થયેલા અનુભવ માણસો ને આખી જિંદગી યાદગાર રહેતા હોય છે અને તેના ડર સાથે આખું જીવન પસાર કરતા હોય છે. તો ચાલો આપણે પણ એક એવા જ સફરની વાત કરીએ અને આપણે પણ જીવનમાં થોડા સાચા ડરનો અનુભવ કરીએ.
કેશવ નગર નામનું એક ગામ હતું ત્યાં આગળ એક કનુભાઈ નામના માણસ રહેતા હતા તેઓ કાળી ચૌદસની રાતે દર વર્ષે સાધવા જતા હતા અને વિધિ કરવા સ્મશાનમાં જતા હતા. તેઓ આ વર્ષે પણ વિધિ કરવા સ્મશાનમાં જવાના હોય છે. ગામના ઘણાં લોકો એમને ખુબજ સમજાવે છે કનુભાઈ દરેક દિવસો અને વર્ષો સરખા નહિ હોતા અને તમે દર વર્ષે ત્યાં જાઓ છો પણ મહેરબાની કરીને આ વર્ષ નહિ જાઓ કેમકે આ વર્ષ ખુબજ ભોગ લેવાયા છે ત્યાં આગળ અને તમારું જવું હિતાવહ નથી એટલે રહેવા દો.
પણ કનુભાઈ પોતાની જ મસ્તીમાં કે એ તો રહેવાનું અને સાચા મર્દ હોય એ ડરે નહીં તમે બધા ડરપોક છો જે ડરો છો અને આવી વાતોથી હુ તો દર વર્ષે જવું છું એટલે આ વર્ષે પણ જવાનો જોવું કે ત્યાં કોણ આવે અને કેવુ આવે અને મારાથી તો બધા બીવે કેમકે મારી શક્તિ જ એવી છે કે કોઈ ભૂત આવતા પણ વિચાર કરે. કશું ના થાય તો પણ ગામ વારા ઘણા લોકો કે અમને તમારા પર પૂરો વિશ્વાસ છે પણ અમે તમને જાતે કરીને મોત ના છાંયડામાં જવા દેવા નહીંમાંગતા અને તમે ત્યાં સ્મશાનમાં જવાની ખોટી જીદ કરો છો.
કનુભાઈ કે એવા તો કેટલાય ના પાણી મપાય છે ત્યાં આગળ મારુ પાણી કાઢવાની તાકાત એમનામાં નથી મારી શક્તિની વાત જ અનોખી છે. શું કહેવું જીવાભાઈ બરાબર ને. જીવાભાઈ કે વાત તો બરાબર છે પણ મોત જયારે આવાનું હોય ત્યારે એક ઈશારો કરે છે અને સમજાવે છે પણ પછી જેવી તમારી ઈચ્છા. કનુભાઈ કે આજે અને આ વર્ષે ખબર નહિ તમે કેમ આવી વાતો કરો છો. જીવાભાઈ કે લાગે તમે કાલ સવારનો સૂરજ જોવા જીવતા રહેશો એતો ભગવાન ને ખબર. કનુભાઈ કે હા એતો રાતે ખબર 11 વાગે. અને હું એકલો નથી મારી સાથે મારા પાડોશી અમથાભાઈ પણ છે અમે બંને છીએ. એટલે ચિંતા નહીં. જીવાભાઈ કે અમથાનું મગજ ફરી ગયું તે તારો સાથ આપે અને આગળ પાછળ કોઈ નહિ એટલે ચાલે. અમારી તો કેવાની ફરજ બાકી તમારી ઈચ્છા.
ત્યાં કનુભાઈ પોતાની જ વાતોમાં કહે છે કે એતો તમે ડરપોક છો એટલે ડરો છો અને બીજાને બીવડાવો છો. જીવા ભાઈ કે એતો આજે રાતે ખબર. ત્યાં રાતના 11 વાગે છે અને અમથા ભાઈ અને કનુભાઈ બને સ્મશાનમાં વિધિ કરવા પહોંચે છે. અને ત્યાં જઈને હવે.
કનુભાઈ કહે છે કે જુવો અમથાભાઈ બધા મોટી મોટી વાતો કરે છે પણ કોઈ દેખાય ખરા એકલું અંધારું છે અને સાથે આપણે વડા અને પુરી લાવીએ છીએ તો ચાલો થોડા અંદર જઈને બેસીએ અને વિધિ શરૂ કરીએ. ત્યાં અમથાભાઈ કહે છે આપને અંદર આવી ગયા છીએ અને વધુ જવું મોતને આમંત્રણ આપવામાં આવે એવું લાગે. તો અહીંયા બરોબર છે.
કનુભાઈ કહે છે કે શું તમે પણ સાથે આવીને ડરો છો મારી શક્તિ ઉપર ભરોસો લાગતો નહીં તમને આવો હજુ થોડા અંદર જઈએ. અમથાભાઈ અને કનુભાઈ સ્મશાનમાં ખુબજ અંદર સુધી જઈને કંકુથી કુંડાળું કરીને વચ્ચે બેસે છે. અને વિધિ શરૂ કરે છે. અને થોડો સમય થતાની સાથે જ હવે રાતના લઘભગ 12 વાગે છે અને સ્મશાન જાગવાની શરૂઆત થાય છે.
અને ત્યાં જ શરૂઆત થતાંની સાથે જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થાય છે જાણે કે આંધી આવી હોય અને બીજા સાધકો તો સ્મશાન છોડીને જ ભાગી જાય છે પણ કનુભાઈ પોતાની વિધિમાં મસ્ત રહે છે અને ચાલુ પણ રાખે છે. ત્યાં જ કેટલાક જોરદાર અવાજો સંભરાય છે આત્માની ચિચિયારીઓ અને રોવાના અને હાસ્યના અવાજો અમથાભાઈનું હૃદય ધ્રુજાવી નાખે છે. ત્યાં એકદમ અંધારપટ છવાઈ જાય છે. અને કનુભાઈ પણ વિધિ કરતાની સાથે ધ્રુજવા લાગે છે. અને ખુબજ એમને ત્યાં શરીર ગરમ થયી જાય છે જાણે કે તાવની અગ્નિમાં શેકાતું હોય.
ત્યારબાદ અનેક નવા નવા સ્વરૂપો ધરીને આત્માઓ તેમની સામે આવે છે જેમકે તેમના પુત્રવધુ , પત્ની એમના બાળકો દરેક નું રૂપ લઈને આત્માઓ આવતી હોય છે અને એક જ વાત કહેતી હોય છે કે તમે ઘરે ચાલો અને રહેવા દો આ બધુ. પણ કનુભાઈ ને થોડો અનુભવ હોય છે એટલે ત્યાંથી તેઓ કોઈ જવાબ આપતા નથી. પણ અમથાભાઈ ને આ બધું જોઈને ખુબજ ડર માથે બેસી જાય છે.
ત્યારબાદ ડરામણા અવાજ વધે છે અને અનેક ચિચિયારીઓ અને હાસ્ય ના અવાજો કાળજું કમ્પાવી નાખે છે. કનુંભાઈ છતાંપણ કઈ પણ જવાબ આપ્યા વગર વિધિમાં વ્યસ્ત રહે છે. ત્યારબાદ આત્માઓ વિધિ ભંગ કરવા માટે અનેક તરકીબો નિકાળે છે અને મૃત્યુ ના અવાજો અને કાર્યો કરે અને બધી આત્માઓ કુંડાળાની આજુબાજુ આવીને ઉભી રહે છે. તે જોઈને અમથાભાઈ બેહોશ થયી જાય છે. પણ કનુભાઈ પોતાની વિધિમાં વ્યસ્ત રહે છે. ત્યારબાદ એક આત્મા વિધિ ભંગ કરવા છલ રચે અને કનુભાઈનો દીકરો જે 12 વર્ષનો હતો એને જાનથી મારી નાખવાનો અને ડરાવાનો સિન રચે છે.
જે જોઈને કનુભાઈ પણ ડરવા લાગે છે અને સૌથી મોટી ભુલ એ હોય છે કે તેઓ આત્માની જે શક્તિઓનો અંદાજો લગાવીને આવે છે એનાથી પણ અનેક ઘણી પ્રબળ શક્તિઓ તેમના કુંડાળાની આજુબાજુ આવીને ઉભી હોય છે જે કુંડાળામાં પ્રવેશ માટે અનેક તરકીબો અજમાવે છે જે ખુબજ ભયાનક હોય છે. કનુભાઈ ને ડરાવે અને ધમકાવે છે કે તમે અહીંથી ચાલ્યા જાઓ નહીંતર તમારો પતો પણ નહીં લાગે. પણ તેઓ ડરતા નથી. અને કહે છે તમારે જે કરવું હોય તે કરો હું મારી વિધિ ચાલુ રાખીશ.
અને પછી તેઓ વડા અને પૂરીઓ આત્માને એ વચને આપે છે કે તેઓ તેમને સુરક્ષિત જવા દેશે અને કંઈપણ નુકશાન નહીં પહોંચાડે. પણ આત્માઓની પ્રબળ શક્તિઓના કારણે ખુબજ પવન ફૂંકાય છે અને ડરનો કડવો અનુભવ શરૂ થાય છે અને જે કુંડારુ સુરક્ષા માટે કનુભાઈ એ બનાવ્યું હતું તે સંપૂર્ણ પણે આત્માઓની શક્તિ રોકવામાં નિષ્ફળ જાય છે અને કેટલીક આત્માઓ બહારથી જ હુમલા શરૂ કરે છે. જેના કારણે કનુભાઈ ને વિધિ પુરી થતી નથી અને તેઓ આ હુમલાના કારણે ખુબજ ડરી જાય છે. અને તેઓ આગળ મંત્રોચ્ચાર કરતા પણ જીભ લથડાય છે ને ધ્રૂજે છે અને તેમનું શરીર પણ તાવની ભઠ્ઠીમાં શેકાય છે પરિણામે તેઓ આગળ વિધિ પૂરી કરી શકતા નથી અને આત્માઓ કુંડાળાની શક્તિ ને પડતી મૂકીને અંદર પ્રવેશ કરી જાય છે. અને કનુભાઈ ને અમથાભાઈ ને પેટ ચીરીને ફાડી નાખે છે અને બંનેનું મૃત્યુ થાય છે. કારણે ગામમાં પણ દહેશત વધે છે. અને ગામ લોકો પણ સવારે બને ને શોધવા જાય છે પણ કંઈપણ વસ્તુ કે તેમનો હતોપતો મળતો નથી અને તેઓ હંમેશા માટે દુનિયાથી નામશેષ બની જાય છે અને તેના પરિણામે ગામમાં પણ આત્માઓનો ભોગ લેવાનો શીલશિલો વધે છે અને ધીમે ધીમે ગામના લોકો ભય અને દહેશતમાં જિંદગી પસાર કરવા મજબુર બને છે. પોતાની જિંદગી ના અંતિમ વિશ્વાસે ગામમાંથી પલાયન કરે છે અને ગામ પણ નામશેષ બની જાય છે.
એટલે મિત્રો બને એટલું આવી વિધિથી દુર રહીને ભગવાનની ભક્તિ કરવી અને સુખીથી ભક્તિમય જીવન પસાર કરવું અને જીવનમાં આગળ વધવું અને ભગવાનની શ્રદ્ધા અને ભક્તિ જ મોટી તાકાત છે જેને કોઈ દિવસ ભૂલવી નહીં અને ભગવાનના શરણે રહેવું.
