રાવણ જીવે છે હજી
રાવણ જીવે છે હજી
1 min
7.0K
વિજયા દશમીની
પૂર્વ સંધ્યાએ
વિચારે ચડ્યું મન,
ખરેખર મરી પરવાર્યો રાવણ?
તો આ આંતકવાદ...
આ કોમી રમખાણ...
આ દલિતો પરનો અત્યાચાર...
મંથન અંતે મળ્યો ઉત્તર:
હા, રાવણ જીવે છે હજી
માનવીનાં મનમાં!