ભગવાનનો ન્યાય
ભગવાનનો ન્યાય
ગરીબને કોઇપણ વસ્તુનો નથી સાલતો હોતો બહુ અભાવ,
ગરીબ, જિંદગીના દરેક પ્રસંગને, સ્વીકારી કરે છે તેનો નિભાવ,
ભગવાનનો ન્યાય છે ગરીબો સાથે, ‘ખુશ’ રહેવાનો આપ્યો છે સ્વભાવ,
ગરીબોની ફકીરી પણ કુદરતી રીતે છે જાણે અજાણે ઉમરાવ,
ગરીબ લોકો નથી રાખતા આવતી કાલ માટેનો બહુ તનાવ,
પૈસા પાછળ એટલું નથી ભાગતા, જિંદગીમા નથી માત્ર લાવ લાવ,
ભગવાનનો ન્યાય છે ગરીબો સાથે, ‘ખુશ’ રહેવાનો આપ્યો છે સ્વભાવ,
જિંદગીને છૂટી મુકી દે છે, નથી નિયમોનો વધુ પડતો પ્રભાવ,
ગરીબ હોય છે કુદરતના ખોળે, છે કુદરતનો કુદરતી લગાવ,
એટલે જ ગરીબ લોકો સહજતાથી ઝાલી જાય છે ગમે તેવા ઘાવ,
ભગવાનનો ન્યાય છે ગરીબો સાથે, ‘ખૂશ’ રહેવાનો આપ્યો છે સ્વભાવ,
‘હેપ્પી ઇન્ડેક્સ’ના વિવરણનું પણ, ગર્ભિત છે આજ પ્રતિભાવ.