શાંત મનથી
શાંત મનથી
1 min
23.8K
હંમેશાં નિર્ણયો લેવાય છે સારા શાંત મનથી.
માનવી બનતા નથી કદી નઠારા શાંત મનથી.
શાંત મનમાં પ્રસન્નતા વ્યાપેલી હોય છે સદા,
નથી આવતા કદી ક્રોધ ઊભારા શાંત મનથી.
ઉશ્કેરાટ મનનો ન કરવાનું કરી બેસતો હોય,
ક્યારેય ન આવે પસ્તાવાના વારા શાંત મનથી.
ઉતાવળા બની જાય બહાવરાને ગુમાવનારા,
ન અનુભવવા પડે વખતને ખારા શાંત મનથી.
માનવતાસભર વર્તન કરે છે લોકો શાંતિ પામી,
કદાપિ એ ના તોડતા ધોરણધારા શાંત મનથી.
ચાવી છે સફળતાની દિમાગને ઠંડો રાખવો તે,
ન આવતાં મુખે વેણ પણ નઠારાં શાંત મનથી.