મનની મૂંઝવણ
મનની મૂંઝવણ
1 min
168
ખુલાસા વિનાનું વાતાવરણ,
માનસિક સંતાપ તણું કારણ,
દિવસે જેમ અંધારું છવાતું,
બધું ઝાંખું ને ધૂંધળું દેખાતું,
સામે હોવા છતાંય ન દેખાતું,
આવું અકારણ જ ન બનતું,
ઉદગમ સ્થાન કદી ન જડતું,
પણ પરિસ્થિતિ વિકટ કરતું,
આવી મૂંઝવણ મનમાં ઊઠે,
પોતાની જાતથી પોતે જ રૂઠે,
આ સમયે કોઈ રાહત મળે,
જો કોઈનો સાચો સંગાથ જડે,
તો જ આવી વિપદ ઘડી ટળે,
મનની મૂંઝવણનું મારણ જડે.
