જન્માષ્ટમીએ બધાં કાનુડાને
જન્માષ્ટમીએ બધાં કાનુડાને
1 min
6.5K
મને પણ કાનુડો ખૂબ વહાલો ને, ગમે છતાં
કોણ જાણે કેમ માયા યાદ આવ્યા કરે, એની શહીદી યાદ રહે ,
એ જન્મીને કયાં ખોવાઈ ગઈ ?
જે રીતે વસુદેવે કાનુડાને કારાગારમાંથી યમુના પાર કરાવી ,
એમ એને પણ પાર કરાવી
કારાગારમાં લઈ આવેલા ને ?
તમને યાદ છે કે નહીં?
મને તો
એ જ યાદ આવ્યા કરે ને
છતાં પડઘા પડ્યા કરે,
નંદ ઘેર આનંદ ભયો
તો રોહિણી ઘેર શું થયું હશે ?
કાનુડાની અવેજીમાં લવાયેલી
એ દુહિતાને કેવી રીતે
હ્દયાંજલિ આપવી ?
આ “બકુલિકા” દ્વારા મારી એને હ્દયાંજલિ.