Parul Thakkar "યાદ"

Others

3  

Parul Thakkar "યાદ"

Others

શિક્ષકદિવસ

શિક્ષકદિવસ

2 mins
241


આમ તો કહેવાય છે કે એક માતા સો શિક્ષક બરાબર છે ... પણ તો ય જીવનમાં એક શિક્ષકની તો જરૂર હોય જ છે, અને શિક્ષણનું મહત્વ આપણા જીવનમાં કેટલું છે એ તો તમે સૌ જાણતાં જ હશો...!

 એક શિક્ષક જ છે જે આપણને અક્ષરજ્ઞાન આપે છે. અત્યારે હું જે લખી શકું છું એ મારા જીવનમાં આવેલા શિક્ષકોને જ આભારી છે અને તમે જે આ વાંચી રહ્યા છો એ પણ તમારા જીવનમાં આવેલા શિક્ષકને જ આભારી કહી શકો ને ?

આજના યુગમાં આમ જુવો તો શિક્ષણનું મહત્વ ખૂબ વધી રહ્યું છે, પહેલાનાં વખતમાં દસ પાસ થાય તો ય છોકરો ખૂબ ભણ્યો કે છોકરીએ ઘણું ભણી લીધું કહેવાતું..! સમય જતાં ગ્રેજ્યુએટ થયેલાં ખૂબ જાજુ ભણ્યા એમ કહેવાવા લાગ્યું, અને અત્યારનાં યુગમાં તો માસ્ટર ડિગ્રી પણ હવે સામાન્ય ભણતર ગણાવા લાગી છે. અને આ બધું ભણાવે છે કોણ ? એક શિક્ષક અર્થાત અલગ અલગ વિષય નિષ્ણાત શિક્ષકો ની ટીમ, જેમના માર્ગદર્શનથી વિદ્યાર્થી માસ્ટર ડિગ્રી સુધી કે એનાથી પણ આગળ અભ્યાસ કરી શકે છે. 

તો તમારા યુવાન ઘડતરમાં આટલો મહત્વનો ફાળો આપનાર શિક્ષકોનાં સન્માનનો દિવસ એટલે કે શિક્ષકદિન કેમ ભૂલાય ?

તો ચાલો આજે શિક્ષક વિશે થોડી વધુ વાત કરીયે, અને શિક્ષકદિનનાં મહત્વ વિશે પણ વાત કરીએ.

શિક્ષકની વાત છે તો શિક્ષણની વાત તો હોય જ ને ! બંને જાણે એક સિક્કાની બે બાજુ..! શિક્ષક છે તો કાંઈક તો શિક્ષણ હશે જ અને કાંઈક શિક્ષણ છે તો એને શીખવવા એક શિક્ષક પણ હોય જ !

તો પહેલી વાત શિક્ષણની.

ભારતનાં પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મ જયંતિ નિમિત્તે 11 નવેમ્બરનો દિવસ ભારત માં 'રાષ્ટ્રીય શિક્ષણ દિન' તરીકે ઉજવાય છે, એ ઘણા ઓછા લોકો જાણતા હશે.

જ્યારે ભારતનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિવસને ભારતમાં શિક્ષકદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે !

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા એ પહેલા તેઓ ચેન્નાઇની પ્રેસિડેન્સી કોલેજમાં મલયાલમ ભાષાનાં શિક્ષક હતા. અને તેમનો વિષય હતો "તત્વજ્ઞાન".

તત્વજ્ઞાનમાં તેમની વિદ્વતા અસાધારણ હતી ! ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં વૈશ્વિક લેજન્ડ પ્રિન્સિપાલ જે ઇસ્ટીન કાર્પેન્ટર નિવૃત થતાં તેના સ્થાને ડો. રાધાકૃષ્ણન જોડાયા હતાં.

આવા પ્રખર શિક્ષકનો ભારતે જ આગ્રહપૂર્વક લાભ લેવો જોઈએ એવો મદનમોહન માલવીય એ વિચાર રજૂ કર્યો હતો, ભારતનાં બંધારણની ટીમમાં, સોવિયેત યુનિયનમાં ભારતનાં રાજદૂત, 1933 થી 1937 સુધી સળંગ પાંચ વર્ષ નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ થનાર વિશ્વની એકમાત્ર મહાન વિભૂતિ, તેમજ 1962 -67 ભારતનાં રાષ્ટ્રપતિ !

આટલા મહા શિક્ષકની યાદમાં તેમના જન્મદિવસ નિમિત્તે શિક્ષકદિવસની ઉજવણી એટલે તેમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી.

ભલે 17 એપ્રિલ 1975 નાં એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. પણ એક સારા શિક્ષક તરીકેનું સન્માન અને આપણા દરેક શિક્ષકમાં જાણે એમનો અંશ હોય એવું નથી લાગતું તમને ?


Rate this content
Log in