Ravi Gohel RJ Ravi

Others Thriller Inspirational

2  

Ravi Gohel RJ Ravi

Others Thriller Inspirational

પંચવર

પંચવર

1 min
1.5K


સ્ટોરી નૈતિકનાં પાંચવાર લગ્ન થયાં. પાંચવાર કરવાનું કારણ એ કે એક પછી એક બધાં લગ્ન કોઈનાં કોઈ કારણસર તુટી ગયા. પહેલાં લગ્ન થયા એ છોકરી માણસાઈવાળી હતી, બીજી એકદમ રૂપાળી રૂપવાન ને સંસ્કારી, ત્રીજી સાથે તેમની પરફેક્ટ જોડી લાગતી, ચોથી દયાળું સ્વભાવે સાથે એક છોકરી લઈને આવી, પાંચમી માંદગીવાળી મળી હતી.

આજે એ ભાઈ હજું કોઈ બીજી છોકરી ગોતે છે સગપણ માટે. જ્યાં સગપણની વાત ચાલે અને ઠેકાણું જોવા જાઈ ત્યાં વાત વાતમાં કહે છે કે "મારે માણસાઈની દષ્ટિએ વ્યક્તિ સારું જોય, છોકરી દેખાવમાં સારી જોઈ આંગણે શોભે એવી, જેની સાથે પરફેક્ટ જોડી મારી લાગે અને સ્વભાવ થોડો દયાળું હોવો તો જોઈ ને. ફરી ઉપરથી એવું પણ બોલે સાજા-માંદા તો થાય માણસ - માણસનું ધ્યાન ન રાખે તો કોણ રાખે!!" તો એ નથી સમજાતું કે પાંચવાર લગ્ન કેમ તુટ્યાં?


Rate this content
Log in