Jagruti Pandya

Children Stories

4.0  

Jagruti Pandya

Children Stories

નાનો વિહાન બન્યો સંતાકલોઝ

નાનો વિહાન બન્યો સંતાકલોઝ

3 mins
178


આજે પાંચ વર્ષનો નાનો વિહાન તેની મમ્મી સાથે સાંજના સમયે બજારમાં નીકળ્યો હતો. ત્રણ દિવસનું મીની વેકેશન મળવાથી સૌ ખુશ હતાં. ઘણાં બધાં સમય પછી આવી રજાઓ મળેલ હોઈ વિહાન અને સૌ લાંબુ લચક લિસ્ટ લઈને ખરીદી કરવા નીકળ્યાં હતાં, લિસ્ટમાં સૌથી વધુ વસ્તુઓ તો વિહાન માટેની હતી !

વિહાને જોયું કે, આજે મોટાભાગના સ્ટોરમાં લાલ કલરના કપડાં પહેરીને એક અંકલ બધાંને ચોકલેટ આપે છે. ફુગ્ગા આપે છે અને ડાન્સ કરીને ખુશ કરે છે. વિહાન તેની સમજણમાં આવ્યાં પછી આ પ્રથમવાર આ બધુ જોઈને ખૂબ જ ઉત્સાહિત હતો. ઘણો સમય બધું જ જોવામાં વિતાવ્યો. તેણે એ પણ જોયું કે કેટલીક જગ્યાએ તો વિહાન જેવાં નાનાં નાનાં બાળકો પણ આવો લાલ કોટ પહેરેલાં જોવા મળ્યાં. વિહાને હવે તેની મમ્મી ઉપર પ્રશ્નબાણોનો એક સામટો મારો ચલાવ્યો. 

મમ્મી ! મમ્મી !! મમ્મી !

શું છે આ બધું ? 

આ લાલ કલરનો લાંબો કોટ અને સફેદ દાઢી વાળા અંકલ કોણ છે ? 

 આ અંકલ કેમ બધાંને ચોકલેટ આપે છે ?

વિહાનની મમ્મી તેને સમજાવતાં કહે છે : " બેટા , એ અંકલ સંતાકલોઝ છે. આ આખુ અઠવાડિયું ખ્રિસ્તી ધર્મના લોકોનો તહેવાર નાતાલની ઊજવણી કરવામાં આવે છે. દર વર્ષે ૨૫મી ડિસેમ્બરના દિવસે નાતાલની ઊજવણી કરવામાં આવે છે. ૨૫ ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે. એમના જન્મ દિવસની ઊજવણીના ભાગ રૂપે નાતાલ પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. 

જો બેટા, હવે આગળની વાત સાંભળ. "

 આ તહેવારનું વિશેષ મહત્વ ખ્રિસ્તી ધર્મના લોકો માટે હોય છે, પરંતુ આજકાલ આ તહેવારનું પ્રચાર અને પ્રસાર એટલું વધારે થઈ ગયું છે કે લગભગ બધા ધર્મના લોકો આ તહેવાર ઉજવે છે. ખાસ કરીને બાળકો ના મન માં ક્રિસમસનો તહેવાર માટે ઉત્સાહ હોય છે, કારણ કે એ લોકો માને છે કે ક્રિસમસની રાત્રે સાન્તાક્લોઝ આવશે અને એમની બધી ઇચ્છા પૂરી કરશે. ભગવાન ઈસુના જ્ન્મના અવસર પર ક્રિસમસ તહેવાર મનાવવામાં આવે છે. હવે કેટલાક દશક પહેલા સુધી ક્રિસમસ વિદેશી લોકો ઉજવતાં હતાં પરંતુ ભારતીયો પણ આ તહેવાર બીજા તહેવારોની જેમ ઉજવે છે. 

પ્રાચીન કથા પ્રમાણે ઈસાઈ ધર્મની સ્થાપના કરવાવાળા ઇસુનો જન્મ ક્રિસમસના દિવસે થયો હતો. એટલા માટે આખી દુનિયામાં એને ક્રિસમસ ડે કહીને સેલિબ્રેટ કરવામાં આવે છે. ઈસુ એ મરીયમને ત્યાં જન્મ લીધો. બતાવવામાં આવે છે કે મરિયમ ને સ્વપ્ન આવ્યું હતું, જેમાં ભવિષ્યવાણી થઈ હતી કે એમને પ્રભુ ના પુત્ર ઈસુને જન્મ આપવાનો છે.

થોડા સમય પછી ભવિષ્યવાણી પ્રમાણે મરિયમ ગર્ભવતી થઈ. ગર્ભાવસ્થાના સમયે મરિયમ ને પેથલહમ જવું પડ્યું. રાત હોવાથી એમણે ત્યાં રોકાવાનું વિચાર્યું. પરંતુ એમને ત્યાં રોકાવાની કોઈ ખાસ જગ્યા દેખાય નહીં. થોડા સમય પછી એમને એક જગ્યા દેખાઈ, જ્યાં પશુ પાલન કરવાવાળા લોકો રહેતા હતા, મરીયમે ત્યાં રોકાવાનો નિર્ણય લીધો અને બીજા દિવસે ત્યાં ઈસુ ભગવાનને જન્મ આપ્યો.

આ ક્રિસમસનું પ્રાચીન ઇતિહાસ છે. જાણકારોની માનીએ તો ક્રિસમસ શબ્દ ની ઉત્પત્તિ ક્રાઈસ્ટ શબ્દો ઉપરથી થઈ છે. દુનિયામાં ક્રિસમસનો ખાસ તહેવાર રોમમાં ઈસવીસન 336 મનાવવામાં આવ્યો હતો. એના પછી આખી દુનિયા માં આ તહેવારની પ્રસિદ્ધિ વધી ગઈ અને આજે બીજા ધર્મના લોકો પણ આ તહેવાર ને ધામધૂમથી ઉજવે છે.

વિહાનને તો મમ્મીની વાતોમાં ખૂબ જ રસ પડ્યો. પરંતું વાતો વાતોમાં કયા સમયે વિહાનની મમ્મીએ તેના માટે પણ લાલ કલરના કપડાં અને સફેદ દાઢી સાથેની વેશભૂષા ખરીદી લીધી તે વાતની વિહાનને ખબર નહોતી. મમ્મી સાથે ખૂબ જ મજાની જાણકારી મેળવ્યા બાદ, વિહાનને ઘરે આવીને મમ્મીએ સંતાના કપડાં પહેરાવ્યા. વિહાનની ખુશીનો પાર ન રહ્યો. વિહાનને પણ આવાં કપડાં જોઈતાં હતાં, પણ નાતાલની વાતોમાં એટલો બધો રસ પડ્યો હતો કે, તે વાત કરવી ભૂલી ગયો. 

સંતા કલોઝ બની હવે વિહાન સુંદર મજાના ગીતો ગાય છે અને સૌને ચોકલેટ આપી ખુશ થાય છે. 

તો, વહાલાં બાળકો ! તમને પણ વિહાન અને નાતાલની વાત ગમી ને ? તો ચાલો થઈ જાઓ તૈયાર અને આ વાત તમારાં ઘરે સૌને કરો. 


Rate this content
Log in