સ્વ વફાદારી
સ્વ વફાદારી
1 min
544
હું મારી નિજજાતને વફાદાર છું,
સંયમ નિયમ બાબતે ધારદાર છું,
સત્ય સદાય મુજ વાણીથી ટપકે,
નિજાનંદની વાતે હું સદાબહાર છું,
પરમેશ મારા નથી માત્ર પ્રતિમામાં,
માનવમાત્રમાં જોઈ રહું આકાર છું,
ન રાખી શકું કિન્નાખોરી કોઈ વિશે,
વર્તનની વાતે ઈશનો વારસદાર છું,
માફી તલબગાર છું મારી ભૂલો થકી,
સંઘર્ષમાં બની રહેનારો પડકાર છું.
