STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

સંસ્મરણો

સંસ્મરણો

1 min
472

મિલનના સંસ્મરણો હદયમાં સંઘરી રાખ્યાં છે,

એના આધારે ભાવિને ઉજ્જવળ ભાખ્યાં છે,


પ્રવેશી નયન દ્વારેથી ઉરે આસન થયા તમારાં, 

કૈંક હરાયાની અનુભૂતિને સર્વસ્વ માન્યા છે,


નથી આ વિષય બુદ્ધિનો કે તર્ક કરી શકાય છે,

આપવા રામને બોર ખુદ અમે જ ચાખ્યાં છે,


શબ્દોની પરાકાષ્ઠાએ વાણી નિરુત્તર થઇ જતી,

અનુભવના આધારે અંશોને અમે લખ્યા છે,


વસંતમાં પાનખરને પાનખરમાંય વસંત જોઈને,

આંસુમાં કલમ બોળીને અતીતને ટાંક્યા છે.


Rate this content
Log in