STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

ૠજુતા

ૠજુતા

1 min
49


ૠજુતા જેના નામમાં ભરી હશે,

મારે મન એ તો સાક્ષાત હરિ હશે.


કમળને શરમાવનારું નિર્લોપીપણું,

જેણે ભાવના ભારોભાર ધરી હશે.


દર્શન થાય ઈશનાં માનવમાત્રમાંને,

વંદન મારાં એ હસ્તિને ફરીફરી હશે.


પરોપકારની બુનિયાદે જીવી જાણે,

નિયત જેમની હરહંમેશ ખરી હશે.


માનું એને ઈશથી પણ અધિક હું,

સેવાચાકરી માતપિતાની કરી હશે.


Rate this content
Log in