કવિઓ ભોળા
કવિઓ ભોળા
કવિઓ તો હોય છે દિલના સાવ ભોળા,
હોય છે જૂજ ના હોય એનાં કદી ટોળાં,
પરમેશ્વરની પ્રેરણાને હોય છે ઝીલનારા,
આ દુનિયામાં કેટલા એને હો સમજનારા ?
સ્વકૃતિ અપમાને જાણે કે અગનગોળા,
કવિઓ તો હોય છે દિલના સાવ ભોળા,
કિંમત કરતાં મૂલ્યને જે મહત્વ આપતા,
કોમર્શિયલથી તો એ જાણે પળો કાપતા,
હોય છે એનાં હૈયાંઓ કેટકેટલાં પહોળા,
કવિઓ તો હોય છે દિલના સાવ ભોળા,
એને અર્થની આંકણી લઈને ના કદી માપો,
એ છે દેનારા એને આપી આપીને શું આપો ?
લખે મા શારદાની પ્રેરણાથી ના ખાંખાખોળા,
કવિઓ તો હોય છે દિલના સાવ ભોળા,
ભૂલેચૂકે પણ એને કદી પણ ના સતાવો,
કવિ મિત્રો હોવા એ જિંદગીનો લહાવો,
હોય છે એની નમ્રતા; ના માનો એને મોળા,
કવિઓ તો હોય છે દિલના સાવ ભોળા.
