STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

ઈશ્વરના ગુનેગાર

ઈશ્વરના ગુનેગાર

1 min
371

કોઈ પર સિતમ ગુજારનાર ઈશ્વરના ગુનેગાર બને છે.

કારણ વગર સહન કરનાર ઈશ્વરના ગુનેગાર બને છે.


ક્યારેક હોય લાચારી કે પછી લાભ ખાટવાનો વળી,

દીન બનીને મસ્તક ધરનાર ઈશ્વરના ગુનેગાર બને છે.


અહંપોષી સજીવો અહં પોષવા અવરને નમાવી જંપે,

દબાણમાં આવીને નમનાર ઈશ્વરના ગુનેગાર બને છે.


મોટો જીવ નાનાને ગળતો એ નિયમ આજેય અટલ,

ચાંપલૂસી કરીને ખાટનાર ઈશ્વરના ગુનેગાર બને છે.


જીવોને જીવવા દો, છે આજે વકતવ્યને લેખનમાં જ,

અપમાન કરીને જીવનાર ઈશ્વરના ગુનેગાર બને છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy