શિખામણ
શિખામણ
ચંપાવતી નગરમાં ફોફળશાહ નામે નગરશેઠ હતો તે જયારે મરવા પડયો ત્યારે તેણે પોતાના દીકરા માણેકચંદને પાસે બોલાવી ને નીચેની શિખામણ આપી:-
૧ ફળિયામાં બોરડીનું ઝાડ વાવવું નહીં.
૨ ચપરાસીને મિત્ર કરવો નહીં.
૩ જૂના નોકરને કાઢી ને નવા નોકર રાખવા નહીં.
૪ સ્ત્રીને ગુપ્ત વાત કરવી નહીં.
ફોફળશાહની શિખામણ પ્રમાને વર્તવા માણેકચંદ કબૂલ થયો એટલે ફોફરશાહ ને શાંતિ થઈ અને તેના આતમા એ શરીર નો ત્યાગ કર્યો.
માણેકચંદે વિચાર કર્યો કે પિતાએ ચાર બાબતની ના કહી છે પણ તેમાં હાનિ કેટલી છે તેનો અનુભવ લીધા સિવાય ગુણદોષની ખાત્રી થશે નહીં. મારા પિતાએ જે કહ્યું છે તે તો તેમના પૂરા અનુભવથી જ કહ્યું હશે છતાં મારે જાતે અનુભવ લેવો જોઈએ' આવો નિશ્ચય કરીને તેણે ફળિયામાં બોરડીનું વૃક્ષ વાવ્યું હલકાખવાસનો ચપરાસી હતો તેની સાથે તે બેસવા ઊઠવા લાગ્યો,અને તેને પોતાનો મિત્ર બનાવ્યો જૂના નોકરો હતા તે બધાને કાઢી મૂકયા ને તેમને બદલે નવા નોકરોને રાખ્યા.આ બધી ગોઠવણ કયાઁ પછી તેણે પોતાની સ્ત્રીનું પારખું કરવાનો વિચાર કર્યો.
તેણે એક તરબૂચ લઈ તેને થોડું કાપી તેના ઉપર લાલ રંગ નાખ્યો પછી તેને રૂમાલમાં બાંધ્યું,અને તે તથા થોડાં ધરેનણાં લઈ પઘતાની સ્ત્રી પાસે આવી ગભરાયલા ચહેરે તે બોલ્યો, તુ મારી અર્ધાંગિની છું તારૂં હિત એક છે તારા થી મારે કઈ છૂપું રાખવું જોઈએ નહીં એટલા માટે જ તને કહું છું આ મસ્તક રાજાના કુંવરનું છે. રાજાના કુંવરને મારીને મેં આ ધરેણાં મેળવ્યાં છે આ વાત કોઈને કહીશ નહીં જો કહીશ તો રાજા મને શકળીએ ચડાવશે,ધરબાર લૂંટી લેશે,અને તું વિધવા થઈશ.પરિણામે તારે દુ:ખ ભોગવવું પડશે.'
આપણને માથાનો કયાં તોટો હતો કે તમે રાજકુમારનો ઘાત કર્યો ? જો કોઈ આ જાણશે તો આપણા શા હાલ થશે ? આમ કહીને સ્ત્રી ખૂબ રડવા લાગી માણેકચંદે તેને શાંત પાડીને કહ્યું કે,'તું પોતે કોઈ ને વાત નહીં કરે તો કોઈ જાણવાનું નથી માટે તું કોઈને ન કહેતી.'
'હું શું કામ કહું ? કહીને તો દુ:ખ ઊભું કરવું છેને ! હું આવી મૂખીઁ નથી કે હાથે કરીને હેરાન થાઉં!
રાજા ના કુંવરની શોધખોળ થવા લાગી, પણ કયાંય પત્તો ન લાગ્યો. કુંવરનું ગુમ થવું એ આખા શહેરમાં ચચાઁનો વિષય થઈ પડયો. ચાપતી તપાસ કયાઁ છતા પણ જયારે ભાર ન લાગી ત્યારે રાજાને અપાર નિરાશા ઉત્પન્ન થઈ.
માણેકચંદની સ્ત્રી પાણી ભરવા ગઈ તો ત્યાં પણ બધી સ્ત્રીઓ કુંવરના ગુમ થવાની જ વાત કરતી હતી . જયારે ચર્ચા બહુ જ આગળ વધી ત્યારે શેઠાણીના મનમાં ઉછાળા આવવા લાગ્યા અને વાત જાહેર કરી દેવાની પ્રબળઈચ્છા થઈ આવી છતાં તેણે એ ઈચ્છાને રોકી રાખી.
ધીરે ધીરે સ્ત્રીઓ પાણી ભરીને ત્યાંથી ચાલી ગઈ માત્ર એક માલણ અને શેઠાણી બે જ પાછર રહ્યાં માલણ દરોજ ફૂલ દેવા આવતી તેથી વધારે પરિચયવાળી થઈ ગઈ હતી. શેઠાણી તેને કહેવા લાગી જુઓ.બહેન ! તમેતો અમારા ધરના જેવાં છો, તેથી તમને વાત કરવાનોવાંધો નથી. રાજાનો કુંવર ખોવાયો છે તે બીજે કયાંય નહીં પણ મારા ધરમાં જ છે તમઃરા શેઠને કમતડી સૂઝી તે તેણે કુંવરને મારીને તેનાં ધરેણાં લઈ લીધાં છે જોજો હો ! આ વાત કોઈને કહેશો નહીં. કહેશો તો રાજા અમને પાયમાલ કરશે,
ના રે બા ! હું તે તમારી વાત કરૂં ખરી ? બીજી કોઈ વાત નહીં ને આવી વાત કરૂં ? એ તો કદી બને જ નહીં. પણ હેં બાઈ ! ઈ ધરેણાં અને કુંવરનું શરીર કયાં રાખ્યું છે ?
ધરેણા તો મોટા પટારામાં મેં જ મૂકયાં છે કુવરનું માથું રૂમાલમાં બાંધેલું છે તે શેઠે પતારાના હડફામાં મૂકયું છે આ તો તમે ધરના માણસ જેવાં એટલે તમને વાત થાય બીજાને કાંઈ આવી વાત કહેવાય ખરી? જોજો હો! કોઈને કહેશો નહીં.
રાજાએ જીવતા કે મરેલા કુંવરનો પત્તો મેળવી આપનાર ને મોટું ઈનામ આપવાનું જાહેર કયુઁ ઈનામ લેવાની લાલચે માલણ ઉતાવળી ઉતાવળી ફૂલ ની છાબ લઈને દરબારમાં ગઈ અને રાણીને વાત કરી કે, 'કુંવરને તો માણેકચંદ શેઠે મારીને તેનાં ઘરેણાં લઈ લીધાં છે જે મોટા પટરામાં મૂકયાં છે, કુંવરનું માથું પટારાના હાડફામાં મૂકયું છે.
આ હકીકત સાંભળતાં જ રાણીને ક્રોધ ચડયો. તેણે તરત જ રાજાને એ વાતથી વાકેફ કર્યો.રાજાએ હુકમ કર્યો કે માણેકચંદને બંદીગૃહમાં લઈ જાઓ
માણેકચંદ જે ચપરાસી સાથે મિત્રતા રાખતો હતો, તેનેજ માણેકચંદને પકડી લાવવાનો હુકમ થયો ચપરાસી તરત જ માણેકચંદને ધેર આવ્યો અને સભ્યતા તજીને ગમેતેવાં અપમાનભર્યા વેણ બોલવા લાગ્યો
માણેકચંદે રાજાની આવી આજ્ઞાનું કારણ પૂછયું એટલે ચપરાસીએ રૂઆબમાં જ કહ્યું.અબે બનિયા ! મેં તેરા નોકર નહીં હું! ચલ ! આગે ચલ.! આ કટું વચનો સાથે તેણે માનેકચંદને એક ઠોંસો પણ લગાવી દીધો.
માણેકચંદે તેની સાથેની પોતાની મિત્રતાની યાદ આપી અને પોતાનો એવો તે શો ગુનો છે તે પૂછયું એટલે તો ચપરાસી વધારે ખિજાયો, અને જબરજસ્તીથી તેને ધકકો મારીને આગળ કર્યો માણેકચંદ ફળિયામાં આવ્યો અને બોરડી નીચેથી નીકળ્યો કે તરત તેની પાધડી બોરડીમાં ભરાઈ ગઈ. માણેકચંદ પોતાની પાધડી લેવઃ પ્રયાસ કર્યો પણ વ્યથઁ મિત્ર ચપરાસીએ તેનું બાવડું ખેચીને આગળ ધકેલ્યો પોતાના શેઠને પકડીને લઈ જાય છે તેવા સમાચાર નવા નોકરોને મળતાં તેઓ દુકાનમાં જે જેને હાથ હતું તે બધું ઉપાડી ગયા, અને દુકાન બંધ કરી
માણેકચંદને લઈને ચપરાસી આગળ ચાલ્યો એટલે જેતંબોળી ની દુકાનેથી માણેકચંદ દરરોજ પાન ખાતો અને થોડી વાર વાતો કરતો તે તંબોળીની દુકાન આવી માણેકચંદ ને ગુનેગાર પેઠે લઈ જતો જોઈ તંબોળીને લાગી આવ્યું, ચપરાસીને તેણે કહ્યું કે મને થોડીવાર શેઠ સાથે વાત કરવા દે પણ ચપરાસીએતો શરમ બિલકુલ છોડી દીધી હતી તેથી માન્યું નહીં તંબોળીએ તેને પૈસાની લાલચ આપી ત્યારે તેણે તંબોળીને માણેકચંદ સાથે વાત કરવા દીધી.
તંબોળી કહે, માણેકચંદ ! હું તારો ભાઈ છું આપણી મૈત્રી બહુ ધાડી નથી છતાં તું ચિંતા ન કરતો. મારી પાસે જેટલો પૈસો છે તે બધોય તારી પાછળ વાપરીને તને છોડાવીશ.'
માણેકચંદને બંદીગૃહમાં પૂરવામાં આવ્યો.તેના ધરની ઝડતી લેતાં કુંવરનાં ધરેણાં અને રૂમાલમાં માથા જેવું કંઈક બાંધેલું મળી આવ્યું તે રાજસેવકોએ રાજા આગળ હાજર કર્યું,પુત્રનું છેદાયલું મસ્તક પોતાથી જોયું જશે નહીં એમ માનીને તેના તરફ નજર કર્યાં વિના જ તે સાચવીને રાખવા રાજાએ સૂચવ્યુ, અને માણેકચંદને શૂળીએ ચડાવવામાં આવે ત્યાંસુધી તેને ખોરાકમાં ફકત ધેંશ આપવાનો તથા તેની પાસેથી સખ્ત કામ લેવાનો હુકમ કર્યો.
તંબોળીએ કેદમાંના રખેવાળોને પૈસા આપીને પોતાના કર્યા અને માણેકચંદ ને માટે ઉત્તમ ખોરાક પહોંચાડવા લાગ્યો.જયારે માણેકચંદને શકળીએ ચડાવવાનો વખત થયો ત્યારે રાજા પોતે પણ હાજર થયો. શૂળી આગળ પહોંચતાં જ માણેકચંદ ખડખડાટ હસી પડયો. મરણની ઘડી નજીક આવી હોવા છતાં માણેકચંદને આમ હસવું આવે એ આશ્ચર્યની વાત હતી. રાજાએ તેને હસવાનું કારણ પૂછયું. માણેકચંદ ઠાવકું મોં રાખી ને બોલ્યો, મને એક વખત ધેર જવા દો એટલે મારા હસવાનુ કાલણ જણાઈ આવશે. રાજાએ ચોકીપહેરા નીચે તેને ઘેર મોકલ્યો એટલે તે કુંવરને તેડીને પાછો રાજા પાસે આવ્યો, અને તેને અથથી ઈતિ સુધી વાત જણાવી. પોતાના પિતાની શિખામણ વિરૂધ્ધ વર્તવાથી જ આવું પરિણામ આવ્યું એ સત્ય હકીકત પણ તેણે જાહેર કરી.
રાજા માણેકચંદ ઉપર પ્રસન્ન થયો. તેના નવા નોકરો જે જે માલ ઉપાડી ગયા હતા તે તેને પાછો આપાવ્યો,અને માણેકચંદને સારૂં ઈનામ આપ્યું,પોતે આવેશમાં આવી જઈને ઊંડી તપાસ ન કરતાં તેને સજા કરી તે માટે રાજાએ પસ્તાવો જાહેર કર્યો પિતાએ આપેલી શિખામણ સાવ સાચી હતી એવી માણેકચંદની પાક્કી ખાત્રી થઈ ગઈ !
