ABHIJIT KHER

Others

3  

ABHIJIT KHER

Others

સ્વયંમાં રહો (અંતિમ ભાગ)

સ્વયંમાં રહો (અંતિમ ભાગ)

4 mins
90


"હુ કોણ છું" તેને સમજવા એક એક સાદા ગણિતના ઉદાહરણ થી સમજીએ,

૧-૧=૦  બરાબર, અને આ સનાતન સત્ય છે, ખબર છે દરેક ને. હવે, બીજું ઉદાહરણ, 

જે જન્મ લે છે તે મરે છે. આ પણ સનાતન સત્ય છે, જેટલું ૧-૧=૦ છે !

તો પછી, વ્યક્તિ સમજવામાં ક્યાં ભૂલ ખાય છે, અને એક સમજદાર વ્યક્તિ કેમ "ના સમજી"માં જીવન વિતાવે છે.

હવે, આ "ના સમજી" ક્યાં નડે છે તે જણાવું.

તમને પહેલા એક લાઈન ડાયાગ્રામ દ્વારા તેને સમજાવું અને ટૂંકમાં માનવ જીવન ફરી બતાવી દવ કેવું ચાલે છે.

જન્મ➡️બાળક ➡️ એક અણ સમજ બાળક ➡️ થોડું સમજદાર બાળક ➡️ સમજદાર બાળક ➡️ સમજદાર વિધાર્થી બને ➡️ પુખ્તવય માણસ બને ➡️ આર્થિક, સામાજિક ધારી અને કુટુંબ ધારી વ્યક્તિ બને ➡️ નિવૃત જીવન ગાળે ➡️ મૃત્યુ

ઉપરના લાઈન ડાયાગ્રામમાં વાત કરીએ તો છેલ્લા ચાર પડાવ વ્યક્તિના જીવન માટે અગત્યના હોય છે. હુ ફરીથી તે લખી દવ છું.

➡️ પુખ્તવય માણસ બને ➡️ આર્થિક, સામાજિક ધારી અને કુટુંબ ધારી વ્યક્તિ બને ➡️ નિવૃત જીવન ગાળે ➡️ મૃત્યુ

કેમ જીવનના ૮૦ થી ૯૦% લોકો સ્વયંમાં રહી શકતા નથી. આ વ્યક્તિઓ જાણે છે બધું કે ૧-૧=૦ જ થાય, અને જે જે જન્મ લે છે તે મરે છે પણ છે, તે પણ સારી રીતે જાણે જ છે !

તો પછી વ્યક્તિ પોતાના જીવનમાં ક્યાં માર ખાય છે ?

જવાબ છે, તેના માં રહેલા અજ્ઞાનતાના સંસ્કાર, તેને બધું જાણીને અજાણ બનાવે છે. જેમ કે જાણે છે કે રૂમમાં અંધકાર હોય તો લાઈટ કર્યા પછીજ જોઈ શકાય છે, તો તે એક વખત રૂમની લાઈટ કરી દે છે પણ પોતાની અજ્ઞાનતામાંથી સહેજ આમ કરી નથી શકતો. અને કદાચ તે કરી લે તો પણ ફરી તેને તે અજ્ઞાનતા ના ચક્ર માં ફરી ને ફરી ફરવા લાગે છે, કેમ એવું ?

એક વાત સમજી લો, જો તમ ને દેખાય છે કે સામે મોટો ખાડો છે અને છતાં પણ તમે એ મોટા ખાડામાં પડી ને ફરી ચાલવા લાગો ને તો માનો કે તમારાથી આ વિશ્વમાં કોઈ વધારે "માહા મૂર્ખ" અસ્તિત્વ ધરાવતું નથી. વ્યક્તિ સ્વયં માં રહેવા માટેનો જે સમય છે, તે ભૂલી જાય છે, 

એક વસ્તુ સમજી લો, જો તમે એમ વિચારતા હો, કે ફલાણી વ્યક્તિથી દૂર થઈ જાવ, ફલાણા સમાજથી દુર થઇ જાવ કે પરિવારથી દુર થઇ જાવ, તો તે તમારો ભ્રમજ છે, વધુમાં વધુ તમે શું કરશો, ક્યાંક દુર જંગલ કે બીજા શહેરમાં જતાં રહેશો, અને તમને લાગે છે કે મને શાંતિ મલી જાય ! ખરુ ને !

પણ મનનું શું કરશો...મન તો તમારો સાથ ક્યારે નહિ છોડે, કારણકે તેમાં તમારા પાછલા વિચારો બીજ બની અંકુરિત થઇને સામેજ આવશે, અને તમારે તેની ફસલ કે પાક કાપવો જ પડશે. અને વળી પાછું એની એજ કથા લોકોથી અલગ થયા તો વિચારોના મેળા માં ફસાઇ જવાનું.

સ્વયંમાં રહેવા માટે ક્યાંય જવાનું નથી, કારણકે, તમેંજ દરકે ઘટનાનું કારણ કે કાર્ય છો, જે તમારા દ્વારા હર પલ જાણતી કે અજાણી રીતે થાય છે. અને તમારો ભૂતકાળ તેનુંજ પરિણામ છે. નથી કોઈ બીજા.એટલે તમે સ્વયં.

એટલેજ કહું છું આ "સ્વ" જે પ્રથમ અહમ્ રૂપી રૂપ ને ત્યજવું પડશે. બધું છોડી. ભગવાનને શરણે થઈ જાવ અને પોતાને "સ્વ" મુક્ત કરી સ્વયં બની જાય છે. આ સંસાર તમારાથી છે, તમેજ સંસાર છો, તો તમારે સહેજ સભાન થવાનું છે, તેનેજ જ્ઞાન કહેવામાં આવે છે. પોતાની સભાનતાને જ જ્ઞાનરૂપી પ્રકાશ સમજવો તમે માત્ર દ્રષ્ઠા (સાક્ષી)જ છો... સાક્ષી ભાવથી જ આ દુનિયા ને જોવો કોઈ પણ કાર્ય કરો તો પણ તેમ કરતા નથી બનતા જ્યારે તમે તે કાર્ય સાક્ષી ભાવ કરો છો ત્યારે. અને ત્યારે તમે તેજ ઘટિયે  તમારી મુક્તિ થઇ જાય છે. અને પોતાના સ્વયંને પરમાત્માના કાર્યમાં લિપ્ત કરી દો છો. (શરીર ની અંદર અને બહારનું આકાશ એકજ થઈ જાય છે જ્યારે સ્વ સ્વયંમાં સ્થાપિત થઈ જાય છે ત્યારે.)

ખરેખર તો જ્યારે તમે સ્વયંમાં હોવ છો ત્યારે તમે પરમાત્મામાંજ લીન હોવ છો, અને તમે તેની પ્રતિકૃતિ બની સાક્ષી ભાવથી સમગ્ર સંસારને એક ચલ ચિત્રની જેમ માણો ચોરને સદા ચિર શાશ્વત આનંદમાં રમણ કરો છો.

મારી સમજ સ્વયં માટે આ છે,

"આ મેઘાવી દુનિયામાં તમે તમારી પસંદના રંગોની રંગોળી બનાવી શકો છો, જેમાં તમારા વિચારો આકાર બને છે અને રંગો તમારી આત્માને પ્રકાશિત કરે છે." ("In this glorious world you can create a rangoli of colors of your choice, in which your thoughts take shape and the colors illuminate your soul.")

હર રોજ દરેક પળ નીચેની પંક્તિઓનું સ્મરણ કરો...

હુંજ વ્યાપક છું,.અંદર અને બહાર,..

હુ ધ્યાનમાંજ છું, ધ્યાનની કોઈ ચેસ્ટા કે પ્રયત્ન નથી કરવાનો મારે, બસ હું છું અને હું જ "અપાર શાંતિમય" વ્યાપક અસીમિત અવકાશ છું,.

હુજ અંદરથી બહાર છું..

હુંજ સમગ્ર વ્યાપકતાનું કેન્દ્ર છું..

હુંજ સ્વયં માં છું.


Rate this content
Log in