સ્કૂલ અને કોલેજની યાદગાર ક્ષણો
સ્કૂલ અને કોલેજની યાદગાર ક્ષણો
આજે બેઠા બેઠા એક વિચાર આવ્યો,કેટલા મજાના દિવસો હોય છે સ્કૂલના અને કોલેજ ના,આ સમય માં તમને જે મિત્રો મળે છે તેમની વાત જ અલગ હોય છે. કેટલી નિર્દોષ મસ્તી, લડવાનું બધું જ,તેમ છતાં એકબીજા વગર ચાલે તો નહીં જ.યાદ છે ને, રીના,રવિ,કોમલ, નિકુંજ બધાના નામ તો નહીં લખી શકાય પણ જે ને યાદ હશે એના જવાબ આવશે જ ખબર છે. અત્યારના બાળકો આ બધું જ મિસ કરી રહ્યા છે, જેનું ખરેખર બહુ દુઃખ છે. સ્કૂલના શરૂઆતનાં અને છેલ્લા દિવસો મિસ કરવા એટલે ઘણી બધી મહત્વની વસ્તુ તમે ગુમાવી રહ્યા છો.
જીવન નો એક મહત્વ નો ભાગ તમારો જીવવાનો રહી જાય એમ કહી શકાય. હજુ તો ઘણું બધું લખી શકાય પણ ફરી ક્યારેક ... પછી છે કોલેજના દિવસો.....,
યાદ છે ને પૂનમ આપણે પહેલી વાર બસ સ્ટેશન પર મળ્યા હતા,અને કોલેજના પહેલા દિવસે સાથે જ ગયા હતા, તે છેક છેલ્લા દિવસ સુધી સાથે રહ્યા હતા. કેટલા બધા પ્રશ્નો હતા આપણા મનમાં શુ થશે ? કોલેજ માં કેવા મિત્રો મળશે, શું કરીશું ? પણ જેવો કોલેજમાં પગ મૂક્યો આ બધો ડર દૂર થઈ ગયો, કેમ કે ડર ની સાથે સાથે મન ના એક ખૂણામાં ઉત્સાહ પણ એટલો જ હતો ને કે અમે તો કોલેજમાં આવી ગયા. અને એ પણ ઘણા બધા સપનાઓ સાથે લઈને. કેટલી મજા કરી હતી. લેક્ચર્સ માં સાથે, લાઈબ્રેરી માં સાથે, કેન્ટીનમાં સાથે, મજા આવી જતી..! કોલેજની સામે મળતાં વડા પાઉં,લીંબુ શરબત અને સૌથી મહત્વનો ગાંધી બેકરીનો એ પફ !,યાદ છે ? ગ્રુપમાં કોઇની પણ બર્થડે હોય ત્યાં જતું રહેવાનું. બહુ જ મસ્તી કરતા આપણે ત્યાં પણ ,ખબર જ હશે બધા ને ? પછી તો ધીરે ધીરે એ અંકલ પણ આપણને ઓળખી ગયાં હતાં, એટલે જ ક્યારેક એમ્ જ પફ ખાવા જઇએ તો પૂછતા હતાં આજે કોની બર્થડે છેઃ અને આપણે કેહતા કેમ કોઇની બર્થડે હોય તો જ આવી શકાય,.એમ ના આવી શકાય ત્યારે એ હસતાં હતાં. પછી તો ધીરે ધીરે બધાં છૂટાં પડવા લાગ્યા. બધા પોતાની લાઈફ માં વ્યસ્ત થઈ ગયા, પછી ઘણા સમય પછી જઈએ ત્યારે એ અંકલ પૂછતાં કેમ ! આજે તમારાં ફ્રેન્ડઝ નાં આવ્યા,આજે કેમ એકલા જ ? અને ત્યારે ઘણા અફસોસ સાથે કહેવું પડતું કે હવે બધાં છૂટાં પડી ગયા, પણ ખરેખર પછી પફ માં એ પહેલાં જેવો ટેસ્ટ પણ નહતો આવતો .એટલે ધીરે ધીરે ત્યાં પણ જવાનું બંધ થઈ ગયું. . ..ભણવાની સાથે સાથે ઘણાં ખાટા મીઠાં અનુભવ પણ થયા. અને થવા જ જોઇએ એને જ તો લાઈફ કહેવાય. અનુભવ જ આપણને ઘણું બધુ શીખવાડે છે. યાદ છે ને અન્નુ કેમ કે આપણે તો b.ed સુધી સાથે હતાં, ને છેક રાત્રે 10 વાગે લાઇબ્રેરી બંધ થાય પછી જ ઘરે જતા હતા. આ બધા જ દિવસો અત્યારના બાળકો ગુમાવી રહ્યા છે. કેમ કે સ્કૂલ અને કોલેજ માં જે મિત્રો મળે છે,એવા મિત્રો ફરી મળતા નથી અને એવી મિત્રતા પણ નથી મળતી, અને એ સમયે જે નિર્દોષ ને નિખાલસ હાસ્ય હોય છે ચહેરા પર એ પણ હવે ક્યાં જોવા મળે છે.ઘણુ બધુ છૂટી જાય છે સમયની સાથે. તમે બધા શું માનો છો ? સાચી વાત કે ખોટી વાત ? એટલે જ હવે આ બધું જલ્દી પૂરું થાય અને સ્કૂલ, કૉલેજ, કેન્ટીન, લાઈબ્રેરી બધું જ ફરીથી જીવંત થઈ જાય તો કેવી મજા આવે !.અને બાળકો ભણવાની સાથે સાથે એમના જીવનનો એક મહત્વ નો ભાગ એન્જોય કરી શકે અને મન ભરીને જીવી શકે. શું કહો છો બધા સાચી વાત કે ખોટી વાત ?