નડે એજ જે જેને આપના માનીએ
નડે એજ જે જેને આપના માનીએ
*નડે છે એ જ જે આપણા માનીએ*
આ શબ્દ ઘણું બધું કહી દે છે.આજે મારે સંબંધ વિષે વાત કરવી છે.ઘણા સંબંધો માત્ર ઉપયોગી જીવન માટે હોય છે અને અમુક સંબંધો માત્ર કહેવાના સંબંધ હોય છે અને એક સંબંધ એવા હોય છે જે ક્યારેય તૂટતાં નથી.એ છે દિલનો હ્રદયનો સંબંધ
દિલ શબ્દ આવે એટલે પ્રેમી પ્રેમિકા જ મનમાં આવે છે.પણ આજે એ દિલના પ્રેમની વાત છે જે ક્યારેય ખોટો નથી હોતો અને અખૂટ હોય છે એ છે માં બાપનો પ્રેમ.
સંબંધ તોડવા માટે એક અપશબ્દ જ કાફી છે.જો એ નીકળી જાય એટલે સામેના સંબંધ માંથી આપ પણ નીકળી જાવ.આવું વધારે દોસ્તીમાં બને છે.પ્રેમમાં બને છે.સગા વ્હાલામાં બને છે.આમ જોવા જઈએ તો દરેક સંબંધમાં જો અમુક એવા શબ્દના પ્રયોજન થાય તો ત્યાં સંબંધમાં તિરાડ આવે છે અથવા એ તૂટી પણ જાય છે.
આપણે એ વ્યક્તિની વાત કરવી છે જે માત્ર જરૂર હોય ત્યારે જ પ્રગટ થાય છે.આવું બધા સાથે બનતું હશે અને અમુક આવું કરતા પણ હશે.
જીવનમાં જો ખોટ હશેને તો એ ખોટ અમુક સમય સુધી રહશે ત્યાર બાદ એ ખોતનું સત્ય સામે આવી જ જાય છે.એવું છે સંબંધમાં જો જીવ્યા તો ઠીક છે બાકી રામ ભરોસે.
તમારી ગેરહાજરી આજે હાજરી પુરાવી ગઈ
રસ્તામાં નવા નવા ફૂલોની મહેકો પ્રસરાવી ગઈ
દિપક કિશોરભાઈ સોલંકી
9924634135
www.dipusolanki.blogspot.com
*રહીશ*