કેટલાં અંશે સુરક્ષિત ?
કેટલાં અંશે સુરક્ષિત ?
આજથી 6 વર્ષ પહેલાં ગાંધીજીની 150મી જન્મજયંતી પર સરકાર દ્વારા "સ્વરછતા અભિયાન" હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાનનો ઉદેશ આપણી આસપાસની ગંદકીને સાફ કરવાનો છે. તે બહુ સારી વાત છે.
પણ શું ? માત્ર બાહ્ય સફાઈ જ જરૂરી છે ?
ના, માત્ર બાહ્ય સફાઈ કરવાથી તો આપણી આસપાસની ગંદકી દૂર થશે, આપણી શેરી, મહોલ્લો, શહેર સાફ થશે.
પણ જે ગંદકી આપણી અંદર રહેલી છે તેનું શું ?
આજે બળાત્કારના કેસ વધતા જાય છે અને આપણી માનસિકતા નાની થતી જાય છે. આજે પણ જ્યારે આવી ધટના બને છે ત્યારે તેનો બધો દોષ તે સ્ત્રી પર જ ઢોળવામાં આવે છે કે તેણે ગોઠણથી ઉપર કપડાં પહેર્યાં હશે, કે તેણે લિપસ્ટિક લગાવી હશે, તે આવાં સમયે ઘરની બહાર જ શું કામ ગઈ..
પણ આપણે ક્યારેય એમ કેમ નથી કહેતા છોકરાઓને કે જેવી તારી આ બહેન છે તેવી જ તારી એ બહેન છે જેમ તું તેનું રક્ષણ કરે છે તેમ તું તારી બધી બહેનોનું રક્ષણ કરજે..
જ્યારે વાત સાફ સફાઈની આવે છે ત્યારે આપણા સમાજમાં રહેલી આવી ગંદકીની સાથે સાથે આ સમાજનાં કુવિચારોને પણ સફાઈની જરૂર છે. જ્યાં સુધી આ સમાજ તેનાં વિચારોને નહીં બદલે ત્યાં સુધી આ સમાજ, આ દેશ ક્યારેય શિક્ષિત નહીં બને.
જેમ ગંદા મેલાં કપડાં પહેરવાથી વ્યક્તિ ને શરમ આવે છે તેમ આવાં ગંદાં અને મેલાં વિચારોમાં કેમ શરમ નથી આવતી ?
આ એજ ભૂમિ છે જ્યાં એક સ્ત્રીનાં માન સન્માનની રક્ષા કરવામાં આવે છે અને આ એજ ભૂમિ છે જ્યાં એક સ્ત્રી સાથે આવું દુષ્કૃત્ય આચરવામાં આવે છે.
આજે જ્યારે પણ આવી ધટના વિશે સાંભળવા મળે છે ત્યારે મને એક પ્રશ્ન થાય છે કે શું ? સાચે એક સ્ત્રી સુરક્ષિત છે ?!
