ઈશ્વર કૃપા
ઈશ્વર કૃપા
1 min
232
ઈશ્વર કૃપાથી માનવ અવતાર મળ્યો,
માનવીમાં પણ ભૂદેવ અવતાર મળ્યો,
એ થકી તો ચેહર મા મળ્યાં.
ઈશ્વર કૃપાથી મા સરસ્વતી રીઝ્યા,
નિતનવુ લખવા પ્રેરણા આપી,
એ થકી તો લખતાં આવડ્યું.
ઈશ્વર કૃપાથી સંયુક્ત કુટુંબ આપ્યું,
ભાવના પરિવારની હૂંફ મળી,
એ થકી તો જીવન સરળ બન્યું.
ઈશ્વર કૃપાથી જિંદગી જીવવા જેવી છે,
બીજાને મદદરૂપ બની શકાય છે,
એ થકી તો કર્મ સારા થઈ શકે છે.
ઈશ્વર કૃપાથી હૈયામાં દયા વહે છે,
માણસાઈ રાખીને જીવાય છે,
એ થકી તો શ્વાસ ચાલે છે.