ઉદારતાનું પરિણામ
ઉદારતાનું પરિણામ
એક સમયની વાત છે. એક રાજા હતા. તેમના મહેલની બાજુમાં એક જાંબુનું ઝાડ હતું. તે જાંબુના ઝાડ ને રાજા પોતાના સંતાનની જેમ રાખતા હતા. તે દરરોજ સવારે તે જાંબુના ઝાડ ને પાણી આપતા હતા. થોડા દિવસ થયા અને રાજા સવારની જેમ આજે પણ જાંબુના ઝાડને પાણી આપવા ગયા. કે રાજાએ જોયું કે તે ઝાડ મોટું થઈ ગયું. એ ખુશ થઈ ગયા ત્રણ દિવસ પછી તે ઝાડ પર ઘણી બધી ચકલી બેસી જાય છે. પછી રાજા તીર ધનુષ્ય લઈને તે ચકલીઓને મારવા જાય છે. ઘણી બધી ચકલીઓ મરી જાય છે પછી ત્રણ દિવસ વીતી જાય છે.અને રાજા ગરીબ પણ થાય છે અને ગામવાળા તેમની સાથે ખરાબ વર્તન કરે છે. પછી તેમની યાદ આવે છે કે મેં ઘણી બધી ચકલીઓને મારી નાંખી છે તેનું જ પરિણામ હોવું જોઈએ. તેથી રાજા ચકલીઓને દાણા નાંખવા જાય છે. પછી તેમની દશા સુધરતી જાય છે.
એટલે આપણે પણ ક્યારે કોઈપણ જીવ પર વાર ન કરવો જોઈએ નહીંતર પરિણામ ખરાબ આવે.