Manoj Navadiya

Children Stories Inspirational

4  

Manoj Navadiya

Children Stories Inspirational

ઈચ્છાનું જનુન

ઈચ્છાનું જનુન

3 mins
276


'જે અનંત સમય સુધી ચાલવું જોઈએ'

જ્યારે આપણે બધાં શાળામાં ભણતા હતાં ત્યાંરે આપણામાંથી અમુક વિધાથીઓને વર્ગખંડમાં બંક મારવાની ઘણી આદતો હોય છે કે આજે શાળાએ નહીં જવું. તો અમુક વિધાથીઓને વર્ગનાં અમુક વિષયોમાં રસ નથી હોતો એટલે તે વિષયનાં વર્ગમાં બંક મારે છે અને તે હાજર નથી રહેતાં. પંરતુ આવું કરવાથી બીજા કોઈ પર અસર નથી પડતી, પરંતુ ખુદ વિધાથીનાં અભ્યાસ પર અસર પડે છે. જેનું અંત સમયે ખરાબ પરિણામ ભોગવવું પડે છે. આથી દરેક વિધાથીઓને આ અભ્યાસનાં સાર અને સમજણને કેળવવી પડશે.

આવી સમજણને જીવનમાં ઊંડે સુધી ઉતારનાર એક વિદ્યાથી, જેનું નામ આકાશ હતું. ભણવમાં તે હોશિયાર પણ સાથે થોડીક આળસ પણ મવડી લેતો. તે ધોરણ ૧૨માં ભણતો હતો અને સાથે સાથે ટ્યુશન વર્ગમાં પણ જતો. ધોરણ ૧૨માં સવારે વહેલાં ટ્યુશન ક્લાસ ચાલુ થઈ જતાં. આથી સવારે વહેલાં ૪.૩૦ વાગ્યે જાગીને તૈયાર થઈને ટયુશન કલાસમાં ૫.૩૦ વાગ્યે પહોચવું પડતું. 

ચોમાસામાંની સુંદર ઋતુ અને વરસાદી વાતાવરણ બનેલું રહેતું. આકાશ વાંચન માટે પુસ્તકાલયમાં પણ જતો અને શાળાં સિવાયનો બાકીનો સમય પુસ્તકાલયમાં જ પસાર કરતો. એક વાર આકાશ સાજે પુસ્તકાલયમાં વાચવાં ગયેલો અને પુસ્તકાલયનો પાકકો સમય રાત્રે ૧૨.૦૦ વાગ્યે બંધ થઈ જાય. અચાનક વાચતાં વાચતાં તેને થોડી નીંદર ચડી જાય છે. જે તેની એક નાની આળસ બતાવતી હતી. 

અચાનક તેની નીંદર ઉડી જાય છે અને તે દિવાલ પર ટાંગેલી મોટી ઘડીયાળ પર નજર કરે છે, અરે..૧.૦૦ વાગી ગયાં. ૧.૦૦ વાગ્યાં એટલે પુસ્તકાલયતો બંધ અને ત્યાનો મોટો દરવાજો પણ બંધ થઈ ગયેલો હોય છે. તે વોચ મેનને કહે છે કે તેને જવાં દે પણ તે ના પાડે છે. વોચ મેન કહે છે કે પુસ્તકાલય સવારે ૫.૦૦ વાગ્યે જ ખુલશે. 

થોડા સમય પછી આકાશ ત્યાજ સુઇ જાય છે અને તેને મનમાં જાણ હતી કે તેને સવારે વહેલાં જાગવું અને જવું પડશે. તો જ હું ટયુશનમાં સમયસર પહોંચી શકીશ. તે ૫.૦૦ વાગ્યે ઊઠી જાય છે. આકાશ ઘરે જવાં નિકળી પડે છે. પણ તે જ સમયે ચોમાસાનાં લીધે ધોધમાર વરસાદ અને પવન વહેવાં લાગ્યો. અંદાજીત ૧.૫ કીલોમીટરનો રસ્તો હતો પુસ્તકાલયથી ઘરે અને બીજાં ૧.૦ કીલોમીટર નો રસ્તો ઘરેથી ટયુશન કલાસ સુધી. 

ધોધમાર વરસાદમાં પણ તેને એક જનૂન હતું કે તેને ટ્યુશન ક્લાસમા પહોચવાનું. તે પણ ૫.૩૦ વાગ્યે. તેને મનમાં પાકકુ જ કરીને રાખેલું કે પાક્કુ ૫.૩૦ વાગ્યે જ પહોચી જવું છે. ઘણાં વિધાથીઓને મનમાં એવું થાય કે ચાલો આજ રજા પાડી દવ. પણ આકાશ પ્રામાણિક વિધાથી અને જો એક વિષયનો ટોપીક પણ છૂટી જાય તો તેને જ હાની પહોચે તે એવું માનતો હતો. 

આથી આવાં ધોધમાર વરસતાં વરસાદમાં તે પલળતા પલળતા સો પ્રથમ ઘરે જઈ રહ્યો હોય છે. સમયસર પહોંચવાં માટે તે ખૂબ જ ઝડપથી દોડે છે અને અચાનક રસ્તાં પરની ઝાંખી લાઈટોનાં નજરથી તે લપસી પડે છે અને ધડાકા ભરે રસ્તાં પર પડે છ. પણ તે હિમતના હાર્યો અને પાછો ફરથી દોડ્યો. કારણકે તે સમયે ફકત તેની પાસે એક ક્ષણનો પણ સમય જ ના હતો. ધોધમાર વરસતો વરસાદ પણ જાણે કહી રહ્યો હોય કે તું આગળ વધ. કારણ કે તારે મારાથી પણ આગળ વધવાનું જનુન છે. આથી તે પાછો દોડ્યો અને પાછો પડયો કારણ કે મનમાં એક ગાંડપણ હતુુ કે તેને ઝડપથી પહોચવું જ છે. બસ હવે આવાં પડવાનાં વિચારો મુકીને તે પોતાનાં જનુનથી ઘરે પહોંચી જાય છે. હવે સવારનાં ૫.૧૫ થઈ હોવાથી અને ફકત નાહીને અને જમ્યાં વગર જ તૈયાર થઈને છત્રી લઈને ટયુશનમા ૫.૩૦ વાગ્યે પહોંચી જાય છે. આમ આકાશ ફક્ત અડધાં કલાકમા જ પોતાની મુશ્કેલ સફર ખેડી લે છે. "

"જો મનુષ્યને એક ઈચ્છાનું જનુન હોય તો તે બધાજ કામ શકય બનાવી શકે છે. સમસ્યાઓ અને બાધાઓ તો મનુષ્યનાં રસ્તામાં જ પડેલી હોય છે પણ જયાં જનુન અને કઈક કરવાની હિંમત હોય તો તે જરુંર સફળ થાય છે"


Rate this content
Log in