“
તારું હોવું અને તારું ના હોવું જેવી અવઢવના લીધે ઉભી થતી અકળામણ, બેચેની, ખાલીપાના કારણે ઉપન્ન થતી મૃગતૃષ્ણા એટલે જ "હું. તારી ગેરહાજરીમાં પણ હું ખુશ રહી શકું છું તે મારા માટે એચીવમેન્ટ નથી, આશ્ચર્ય છે. આવા આશ્ચર્યના સર્જન કરવા બદલ હું ઈશ્વરને ખૂબ ફરિયાદ કરું છું. મારે આવું આશ્ચર્ય/ખુશી જોઈતી જ નથી. મને તું જોઈએ છે. મારા કિસ્મતમાં તને ના લખી શકતો હોય તો મારે એ ઈશ્વરેય શુ કામનો છે ?
”