ગુસ્સો કરવો એ કોઈનાં સ્વભાવમાં ન હોય પણ જ્યારે આપણી વાત કોઈ ન સાંભળે ત્યારે તે ગુસ્સારૂપે બહાર નીકળે છે.
બીજાની ઉપર આંગળી ઉઠાવનાર લોકો જજ બનીને બેઠા હોય છે પણ જ્યારે વાત પોતાની આવે છે ત્યારે તે વકીલ બનીને ફરતા હોય છે.
મોટા મકાન ની જરૂર નથી, અઢળક સંપત્તિ ની જરૂર નથી, બસ જરૂર છે તો માત્ર એક એવા દિલ ની જેમાં અન્ય પ્રત્યે લાગણી હોય, વિવેક હોય, ઉદારતા હોય, પ્રેમ હોય, જેની પાસે આટલું હશે તે વ્યક્તિ આ દુનિયા નો સૌથી અમીર વ્યક્તિ છે.