મુશ્કિલ લાગે છે ફૂલોનો પંથ પણ,
જો હોય નબળું મનોબળ...
અડગ મનના માનવીને કંટકોથી
ભરેલો પંથ પણ લાગે સરળ
જેમ જેમ સમાજમાં અસત્ય, હિંસા, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, અન્યાય વગેરે જેવા દુષણોનું વર્ચસ્વ વધતું જશે તેમ તેમ લોકોને સત્ય અને અહિંસાનું મૂલ્ય સમજાતું જશે...
પરિચય શું થયો મને એમનો,
હું પરિચય ભૂલ્યો ખુદનો,
હવે તો આ આંખોમાં બસ,
એનો જ ચહેરો દેખાય છે.
અરીસો પણ મને મારો નહિ,
પણ એનો જ પરિચય આપે છે.