લખવું અને લખાઈ જવામાં ફરક છે, હું લખતી નથી બસ આમજ લખાય જાય છે..... હું માનું છું વ્યક્તિ કળાને પસંદ નથી કરતી પરંતુ કળા વ્યક્તિને પસંદ કરે છે. એટલે ઈશ્વરે આપેલ જે તે કળાનું વ્યક્તિએ સન્માન કરવું જોઈએ કેમકે એ ઈશ્વરનો આશીર્વાદ છે. જે સહુ કોઈ ને નથી મળતો.
Share with friendsભેદ અભેદમાં ક્યાં સમાવું, જડચેતન બની શાને જગ નિરખવું, નવઉંમગો સંગ જીવન જીવવું, નવપ્રભાતે નવ હામ ભણી દોડવું, જીવનમંત્ર આ નીશ ભણવું. પલ્લવી ગોહેલ 'પલ'.
ઉડતું આંખે એક સ્વપ્ન સોનેરી , આળસ મરડી બેઠું થયું છે. નવચેતના ભરી મુજમાં ફરી, આજ ધબકતું થયું છે. પલ્લવી ગોહેલ 'પલ'