“
અપચો, ગેસ, અરુચિ અને પેટનો દુખાવો મટાડવા માટે...
સંચળ, સાકર, જીરૂ, સૂંઠ, મરી, લીંડી પીપર અને અક્કલકરો આ સાત ઔષધ સરખા ભાગે (પચીસ, પચીસ ગ્રામ) લઈ બધાનું બારીક ચૂર્ણ બનાવી લેવું. એ પછી એક ખરલમાં આ ચૂર્ણ અને જરૂર પ્રમાણે ધીમે ધીમે લીંબુનો રસ નાખી ત્રણ દિવસ ઘુંટવું. થોડુંક સુકાય એટલે ચણોઠી જેવડી ગોળી બનાવી શીશીમાં ભરી લેવી. આમાંથી બે-ચાર ગોળી જમ્યા બાદ ચૂસવી અથવા ગળવી.- ગાફેલ
”