સામેની વ્યક્તિના
ફક્ત દુર્ગુણને જોવા
એટલે જ 'સ્વ'ને
સ્વાર્થનાં પ્રતિબિંબમાં
પોખવું.
જે કર કલમ ચલાવતા હોય
તે કદી કટારી ન ચલાવી શકે.
વિદ્યા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય
પરંતુ તેની સાચી સમજ તો
અનુભવ દ્રારા જ થાય છે.
સમયથી મોટો
જીવનમાં કોઈ
ગુરુ નથી.
સફળતાનો આધાર
સંતોષમાં છૂપાયેલો હોય છે.
શિક્ષણ એટલે પોતે જાતેજ પોતાને કેળવણી દ્વારા
કેળવવી.
સંબંધોમાં સમર્પણ
એજ બીજાને
સમજવાની કળા.
પોતાની જેવી દ્રષ્ટિ હશે તેવું સ્વ ચારિત્ર્યનું પ્રતિબિંબ પડશે.
આસ્થા અને કર્મોની સરિતાનો સંગમ એટલે જ ધર્મ.