ખુદાને ઓળખવા માટે પહેલા ખુદને ઓળખવા જરૂરી છે
સજ્જન માનવી ક્ષમા વડે જ
દુષ્ટને નિસ્તેજ બનાવી નાખે છે
આજે ઊંચા મકાનોમાં રહેનાર માનવી નીચા થયા છે
પોતાનું સુખ જોવાવાળા ભોગી હોય છે, યોગી નહિ
નાશવાનને મહત્વ આપવું એજ બંધન છે
જે મહેનતથી ગભરાતો નથી
સફળતા તેની દાસી છે
સમા પક્ષને ન્યાય કરવાથી
આપણને ન્યાય વહેલો મળે છે
માનવે કર્મનો નહિ પણ કામનાનો ત્યાગ કરવાનો છે
સુખ અને અભિમાનનો ત્યાગ કરવાથી સાધુતા આવે છે