સાચો સંત મન, વચન કે કર્મથી કોઈને કષ્ટ આપતો નથી
ઉપકાર એ મિત્રતાનું લક્ષણ છે
જયારે અપકાર એ શત્રુતાનું લક્ષણ છે
જીવન જીવો એટલો સમય કામ કરતાં રહો તે સુખ
દુખના દિવસોમાં જિંદગી લાંબી લાગે છે
જયારે સુખના દિવસોમાં જીંદગી ટૂંકી લાગે છે
બીજા પર વિજય મેળવે તે બળવાન છે
જે પોતાના પર વિજય મેળવે તે વીર છે
શાંતિ એ આપણામાં પ્રભુની હાજરીનું પ્રથમ ચિહ્ન છે
તમે જે જોઈ નથી શકતા
તે માનવું તેનું નામ શ્રદ્ધા
પ્રાર્થનામાં ભાષા કરતાં ભાવની જરૂર વધુ છે
આપનું ભવિષ્ય ઘડવાનો સાચો માર્ગ સહનશીલતા છે