ગઈકાલની સમજ હતી તે કરતાં આવતી કાલની સમજ વધુ સારી અને સકારાત્મક હશે તો આવનાર દિવસો, વર્ષો, ચોક્કસ સારાં અને પ્રગતિ આપનારા હશે. જરૂર છે, સકારાત્મકતા ને પસંદ કરવાની. નકારાત્મક વિચારો તો એની મેળે આવશે. અટકાવી શકાશે નહિ, પણ સકારાત્મક વિચારો વધારીએ તો જીતી જવાશે.
શબ્દ હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે.... એને છંછેડવો, છેતરવો, છાવરવો, છૂપાવવો કે છલકાવવો.. આપણે નકકી કરવાનું.