વિશ્વાસે વહાણ ડૂબે
અંધવિશ્વાસે આસ્થા ડૂબે
ને અવિશ્વાસે સંબંધ...
-રૂપલ સંઘવી "ઋજુ"
જીવન સફરમાં ચાલતા, સામે મળેલા પ્રવાસી જેવી જ છે મૂશ્કેલીઓ!
બસ
સ્હેજ અમથું સ્મિત આપશો ને,
તો એ પણ હસીને જતી રહેશે.
સમયસર સમય દો સંબંધોને! સઘળું સચવાઈ જશે.
રેશમી ઋણાનુબંધો છે! કસવા થી ગુંચવાઈ જશે.
परिंदे सी जिंदगी,
उड़ते रहना उम्र सारी।
मेला लगा परदेसियों का,
मिलना बिछड़ना बारी बारी।
साथी सफर में छूट भी जाये,
फिरभी उड़ान रहेगी जारी।
સફળતાનો આધાર છે સમય, અને એ માટે જરૂરી છે પૂરતી ધીરજ.
સમયના બદલવાની રાહ જોવા કરતા, વધુ સારી વાત એ છે કે સમયને બદલવાની કોશિશ કરવી.
બોલતા પહેલા વિચારીએ, તો બોલવું યોગ્ય નહિ લાગે.
બોલ્યા પછી વિચારીએ, તો બોલેલું યોગ્ય નહિ લાગે.
હું ઊંડો ખાલી દરિયો ખારો તુ છો મરજીવો મોતી શોધનારો,
પાંપણની સિપમાં લાગણીના મોતી ને સૂકી ભીનાશ છે કિનારો.
હે પરમેશ્વર! તારો આભાર.
સમગ્ર જીવસૃષ્ટિનો તું તારણહાર.
માનવ રૂપે ધર્યો, હર યુગે અવતાર.
થૈ પ્રેરણા! આપી,
આદર્શ પદચિહ્નોની પગથાર.
લઈ તુજ ચરણધૂલી! એ જ પથ પર પામું ભવપાર.