પુસ્તકો જ આપના શ્રેષ્ઠ મિત્રો છે
વ્યક્તિની હયાતીમાં તો એના દોષ જ દેખાય
ગુણ તો એની વિદાય બાદ જ દેખાય
જીંદગી સુખ દુખના સરવાળા માટે નહિ
પણ અંધારામાં અજવાળા કરવા માટે છે
બુંદ બુંદથી સરોવર ભરાય એ સાચું
પણ બુંદ બુંદથી ખાલી પણ થાય
સફળતાનો થાક ક્યારેય લાગતો નથી
જેને બોલતા નથી આવડતું તે વધારે બોલે છે
સત્ય તો સંક્ષેપમાં જ હોય છે
જે કડવા ભૂતકાળને ભૂલી જાય છે
તેની યાદશક્તિ ઉત્તમ હોય છે
કર્તવ્ય પાલનમાં નિષ્ઠા અને જવાબદારી બંને જરૂરી છે
સૌને દીર્ઘાયુ બનવું છે
પણ ઘડપણ ગમતું નથી