ઘટમાળ
ઘટમાળ
ક્યારેક એવું કેમ બને કે આપણી જ કોઈ વસ્તુ બીજા પાસે માંગતા મન અચકાય? આપણે આપણી પોતીકી કોઈ વસ્તુ બીજાંને આપીએ અને સમય થતાં એ પરત ન કરે તો પાછી માગવામાં કેમ આપણને ખચકાટ થાય !
કેમ સામી વ્યક્તિ ને ન સમજાય કે એને એની પરિસ્થિતિમાં આપણે મદદરૂપ થવા કામચલાઉ રૂપે માલિકી આપી હતી તો સમય થતા કે કામ નીકળતા પરત કરવી જોઈએ.
શું આપણે પણ આવું જ કરીએ છીએ ને ઈશ સાથે! એણે તો આપ્યું છે એ જીવન તો એની સાર્થકતા સિદ્ધ કરવા મચ્યા રહીએ છીએ ને જ્યારે અંત સમય નિકટ આવે ત્યારે કેમ જીવ નીકળતા ખચકાય?
આ મન કેમ બહાવરુ બની બળવો પોકારે! આખરે નિયત સમય કરતાં કોણ જીવી શક્યું છે વધુ? ખેર આ તો કદાચિત ઉદાહરણની વાત થઈ પણ કદાચ ધ્યાનથી જોઈએ આજુબાજુમાં તો સમજાશે આ વાત. હા અલગારીપણું એ એક સિક્કાની બીજી બાજુ છે તો પહેલી બાજુ નું પણ મહત્વ છે જ. જીવનનો આખરે સાર શું નીકળશે એ વિચાર્યું છે ખરા ક્યારેય? જ્યારે એને જવાબ આપવાની ક્ષણ આવશે ત્યારે શું કહી શકાશે? કંઈક મનન ની પળે.....
કંઈક તર્કસંગત દલિલો સાથે એક ગહન વિચારના તારણની આશમાં......