Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajul Shah

Inspirational Others

3  

Rajul Shah

Inspirational Others

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ

2 mins
15.5K


એક ગામના પાદરે એક વૃક્ષ નીચે એક સાધુ પોતાની નાનીશી ઝૂંપડીમાં રહેતા અને સાધના કરતા. એક વાર ત્યાંથી પસાર થતા એક માણસે એમને પૂછ્યું .

“હું કોઇ સારા ગામમાં રહેવા માંગુ છું. આ ગામના લોકો કેવા છે ?

સાધુએ એ વ્યક્તિને સામો સવાલ કર્યો, “પહેલા તમે રહેતા હતા એ ગામના લોકો કેવા હતા ?”

“સાવ નક્કામા, કકળાટીયા, એમના ત્રાસથી તો મે એ ગામ છોડીને બીજે રહેવાનું નક્કી કર્યું.”

સાધુએ પ્રત્યુત્તર આપ્યો, “તો ભાઇ તને અહીં નહીં ફાવે, આ ગામના લોકો પણ એવા જ છે.”

એ વ્યક્તિ થાકેલી હોવાથી થોડીવાર સાધુની પરવાનગી લઈ ત્યાં પોરો ખાવા બેઠી.

ત્યાં એટલામાં બીજો મુસાફર ત્યાં આવી ઉભો. એણે પણ સાધુને પૂછ્યું.” હું કોઇ સારા ગામની શોધમાં છું. આ ગામના લોકો કેવા છે ?”

“તમે પહેલા રહેતા હતા એ ગામના લોકો કેવા હતા ?” સાધુએ એને પણ પહેલી વ્યક્તિ જેવો જ સવાલ કર્યો.

“અરે ! એ ગામના લોકો તો ખુબ સારી ભાવનાવાળા અને સાલસ હતા પણ ત્યાંના હવાપાણી મને માફક ન આવ્યા માટે ના છૂટકે મારે એ ગામ છોડવું પડ્યું.”

“તો તમે આ ગામમાં જરૂર રહી શકો છો.’ સાધુએ જવાબ આપ્યો. પણ એ જવાબ સાંભળીને પહેલી વ્યક્તિ અત્યંત ગુસ્સે થઈ ગઈ. “બાપજી, આ તે કેવી વિચિત્ર વાત ? થોડીવાર પહેલાં તમે મને કહો છો આ ગામ રહેવા લાયક નથી અને હવે તમે આમને અહીં ખુશીથી વસવાટ કરવાનું કહો છો !”

સાધુએ સરસ જવાબ આપ્યો, “જો ભાઇ જેનામાં ખરાબી હોય એને બધે ખરાબી જ દેખાવાની. એની ખરાબીનો ચેપ અન્યને પણ લાગી જાય આથી મેં તમને અન્ય ગામ શોધી લેવાનું કહ્યું. આ ભાઇને સ્વભાવ સારો છે એટલે એમને સૌ સારા લાગવાના. સંગ એવો રંગ એ ન્યાયે એમની સારપથી એમની આસપાસના લોકોમાં ય સારી ભાવના કેળવાશે ને !”

મૂળ વાત છે દ્રષ્ટિકોણની. કારણ- જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કમળો હોય એને બધે જ પીળું દેખાવાનું. સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. મન ચંગા તો કથરોટમેં ગંગા બાકી તો દૂધમાં પોરા કાઢતા લોકોની ક્યાં કમી છે ?

રામદાસની વાત છે. એ રામાયણ લખતા અને શિષ્યોને સંભળાવતા જતા હતા. હનુમાનજી પણ ગુપ્ત રૂપે તેમને સાંભળવા આવીને બેસી ગયા. સમર્થ રામદાસજીએ લખ્યું કે, “હનુમાનજી અશોક વનમાં ગયાં અને ત્યાં તેમણે સફેદ ફૂલો જોયા.” આ સાંભળતાની સાથે જ હનુમાનજી ત્યાં પ્રગટ થઈને બોલ્યા, “મેં ત્યાં સફેદ ફૂલ જોયા જ નથી. તમે ખોટું લખ્યું છે. સુધારી લો.” સમર્થ રામદાસજીએ કહ્યું, “મેં સાચું જ લખ્યું છે ફૂલો તો સફેદ જ હતા. “હનુમાનજી પોતાની જીદ પર અડી રહ્યા. “કેવી વાત કરો છો ! હું સ્વયં અશોક વનમાં ગયો હતો ત્યાં મેં કોઇ સફેદ ફૂલો જોયા જ નથી.” આખરે વાત ભગવાન રામચંદ્રજી પાસે પહોંચી. તેમણે કહ્યું, 'ફૂલો તો સફેદ જ હતા પરંતુ હનુમાનજીની આંખો ક્રોધથી લાલ થઈ રહી હતી એટલે તેમને ફૂલો સફેદ ન દેખાતા તેનો રંગ લાલ દેખાયો.“ આ નાનકડી વાતનો આશય પણ એ જ છે કે સંસાર તરફ પણ આપણી દ્રષ્ટિ જેવી હશે સંસારમાં પણ એવું જ દ્રષ્ટિ ગોચર થશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational