અમરત્વનો પંથ
અમરત્વનો પંથ
થૈ અહંકારથી યુક્ત જ્ઞાનાર્જન કરવું
અથવા અહંકારનો પ્રવેશ જ્ઞાનર્જન પછી,
ધ્વયે સ્થિતિઓ મહાકરાળ,
જ્ઞાન એવું વિષ સુ, કરે જ વિનાશ સ્વનો,
તો, ધકેલે અન્યને'ય સર્વનાશ પ્રતિ,
અહંકાર-શોખીન તથાકથિત,
જ્ઞાનીજનો સુલભ સુપ્રાપ્ય આજે,
વિનય-સંયુક્ત જ્ઞાનજ શક્તિમાન,
અમૃત-ગતિ કરવા,
જિજ્ઞાસાજ ફક્ત જરૂરી જ્ઞાનર્જન પૂર્વે,
'ને જ્ઞાનપ્રાપ્તિ પછી, હોય વિનય જો,
તોજ, સર્વે-જ્ઞાન ખીલખીલે, ઝળહળે !
વિનયજ સૂચક આત્મોત્થાનનું.
તોજ જ્ઞાન બને પિયુષ, કૈંક આમજ,
ઉજળે પંથ અમરત્વનો.
-ચેતન ગોંડલીયા
..