સંત સ્વભાવ.
સંત સ્વભાવ.
1 min
7.3K
જળમાં ડૂબતા વીંછીને એ બહાર લાવે,
તોય તમોગુણી વીંછી એને જ ડંખ મારે,
ડંખ મારી પુનઃ જળમાં પડી જનારો એ,
તોય કરુણામૂર્તિ ફરીફરીને એને બચાવે,
ઘટનાક્રમ પુનરાવર્તન પામતો રહ્યો કેવો!
તોય દયા લાવી પયગંબર બહાર કાઢે!
કોઈ કહે તમે એ ડંખનારને શાને બચાવો?
ત્યજે ન વીંછી સ્વભાવ શું મારે તજવો?